________________
શ્રીસિદ્ધાન્તબિન્દુરસ્તાત્ર.
૨૮૩
પૃથિવી, જલ, તેજ ને વાયુ આમાંનું કોઇ ભૂત આત્મા નથી,તેથી તે ચારે ભૂતાને સમૂહ પણ આત્મા નથી, આ કથનવડે દેહાત્મવાદી ચાર્વાકના મતનું નિરાકરણ કર્યું છે. આકાશ શૂન્યરૂપ કહેવાય છે, તેથી આકાશશૂન્ય-આત્મા નથી આ કથનવડે શૂન્યને આત્મા માનનાર માધ્યમિકના મતનું નિરાકરણ કર્યુંછે. એક એક ઇંદ્રિય આત્મા નથી, અથવા ઇંદ્રિયાના સમૂહ આત્મા નથી એમ કહેવાથી એક એક ઇંદ્રિયને તથા ઇંદ્રિયાના સમૂહને આત્મા માનનાર અન્ય ચાર્વાકાના મતનું નિરાકરણ કર્યું છે. ભૂતે આત્મા નથી એમ કહેવાથી પ્રાણ, મન તે બુદ્ધિ ( ક્ષણિકવિજ્ઞાન) જે ભૂતાના કાર્યરૂપ છે તે પણ આત્મા નથી એમ પણ કહી દીધું છે એમ સમજવું. આ સર્વ જડ તથા દૃશ્ય હોવાથી અને માત્ર પાતામાંજ રહેનાર પણ અન્ય સર્વમાં નહિ રહેનાર હોવાથી આત્મા નથી. કર્તાપણાદિરૂપ ધર્મવાળા જીવ પણ આત્મા નથી. જે દેશકાલાદિવડે પરિચ્છિન્ન હોય તે ઘટાદની પેઠે વિનાશી હેાય છે, પણ આત્મા તેત્રેા નથી, આત્મા તે દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત હોવાથી નિત્ય-અવિનાશી છે. કર્તાપણું તથા ભાક્તાપણું ઇત્યાદિ ધર્મો આત્માના નથી, પણ અવિધાવડે અંતઃકરણની સાથે તાદાત્મ્યત્ક્રાંતિ થવાથી તે ધર્મ આત્મામાં પ્રતીત થાય છે. અંતઃકરણરૂપ ઉપાધિના મેથી છત્રા ઘણા છે, પણ ઉપાધિરહિત શુચેતનરૂપ આત્મા તા એકજ છે. છંદ ભુજંગપ્રયાત છે. ૧.
જ્ઞાન થયા પછી ખાધ પામનારા વર્ણાદિ ધર્માં પણ આત્માના નથા એમ કહે છે:—
।
न वर्णा न वर्णाश्रमाचारधर्मा न मे धारणाध्यानयेागादयोऽपि । ગનારમાશ્રય મમાખ્યાન્નદાનાત્, તફેજોવાશg: શિવ વહોરા