________________
૨૮૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
અને અવિદ્યાવડે કર્તાપણાદિ ધર્મવાળા જણાતા છતે પણ વસ્તુતાએ સર્વ ધર્માંથી અત્યંતરહિત પરમાનંદરૂપ ને જ્ઞાનસ્વરૂપ આત્મા છે એમ ઉપનિષદ્ના મતને અનુસરનારાઓ કહે છે, આવી રીતે આત્માના વિશેષસ્વરૂપમાં વાદીએના ઉપરાત વિવાદાવડે સંદે થતાં હુંના એટલે આત્માના વિશેષસ્વરૂપના વાસ્તવિક નિર્ણય આચાર્યભગવાન નીચેના ક્ષેાકાઠારા કરે છેઃ
न भूमिर्न तोयं न तेजो न वायुर्, न खं नेंद्रियं वा न तेषां समूहः । अनैकांतिकत्वात्सुषुप्त्येकसिद्धः, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥१॥ હું] પૃથિવી નથી, જલ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, ઇંદ્રિય નથી, અથવા તેમના સમૂહ નથી, પણ સુષુપ્તિમાં સિદ્ધ એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું, ]
વ્યભિચારીપણાથી
વ્યભિચારીપણાથી,સર્વમાં અવ્યાપકપણાથી,–દસ્યપણાથી તે વિનાશીપણાથી હું ( હું એવા જ્ઞાનના વિષય-આત્મા ) પૃથિવી નથી, અર્થાત્ પૃથિવીતત્ત્વ આત્મા નથી, હું જલ નથી,−જલતત્ત્વ આત્મા નથી, હું તેજ નથી,-તેજસ્તત્ત્વ આત્મા નથી, હું વાયુ નથી,વાયુતત્ત્વ આત્મા નથી, હું આકાશ નથી, આકાશતત્ત્વ આત્મા નથી, હું ઇંદ્રિય નથી,-શ્રાત્રાદિ ઇંદ્રિય આત્મા નથી, અને દ્રિયાનેા સમૂહ પણ હું નથી,—ઇંદ્રિયાના સમૂહ પણ આત્મા નથી, પણ એ સર્વથી ભિન્ન સુષુપ્તિ અવસ્થામાં સાક્ષિરૂપે રહેલ અદ્રિતીય, નિષેધના અવધિરૂપ એટલે સર્વ દ્વૈતના ખાધમાં પણ અબાધિત, સંગરહિત, પરમાનંદનાનરૂપ હું છું, અર્થાત્ તેવા સ્વભાવવાળા આત્મા છે, આ ઉપનિષજ્ઞે પક્ષજ વધારે સારા છે.