SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાન્તબિંદુસ્તાત્ર.. ૨૮૧ નિરાકરણપૂર્વક ઉપનિષદોએ સિદ્ધ કરેલા નિશ્ચયનું સારભૂત ટીપું ) રાખવામાં આવ્યું છે. આ સ્તોત્રનું અન્ય નામ નિર્વાણદશક પણ છે. નિર્વાણુનું એટલે માયા ને માયાનાં કાર્યોને જ્યાં અત્યંત અભાવ છે તે મોક્ષરૂપ બ્રહ્મનું આ સ્તંત્રમાં દશ લોકવડે નિરૂપણ કરેલું હોવાથી આ સ્તોત્રનું અન્ય નામ નિર્વાણદશક રાખવામાં આવ્યું છે. - સાક્ષાત્ વા પરંપરાવડે સર્વ જીવોને સંસારસાગરથી સારી રીતે ઉદ્ધાર કરવાને ઇચ્છતા પરમપૂજ્ય આચાર્યભગવાને જડ પદાર્થોથી વિલક્ષણ નિત્યશુદ્ધ, નિત્યબુદ્ધ ને નિત્યમુક્ત આત્માના સ્વરૂપને અધિકારીઓને સંક્ષેપમાં બોધ કરવામાટે આ સ્તોત્ર રચ્યું છે. હું એવા આત્માના સદ્ભાવરૂપ સામાન્યસ્વરૂપમાં વાદીઓને વિવાદ નથી, પણ તે આત્માના ચિદાદિરૂપ વિશેષ સ્વરૂપમાં વાદીઓના બહુ વિવાદ જોવામાં આવે છે. દેહાકારે પરિણામ પામેલાં પૃથિવી આદિ ચાર ભૂજ આત્મા છે એમ ચાર્વાક કહે છે, શ્રેત્રાદિ ઈતિમાંની એક એક ઇકિય આત્મા છે એમ ચાર્વાકના મતને અનુસરનારા બીજા કેટલાક ચાર્વા કહે છે, પાંચ કર્મેન્દ્રિયો ને પાંચ જ્ઞાનેન્દ્રિય મળીને આત્મા કહેવાય છે એમ બીજા કેટલાક ચાર્વાકના મતને અનુસરનારાઓ કહે છે, મન આત્મા છે એમ કોઈ નાસ્તિક કહે છે, પ્રાણુ આત્મા છે એમ કેટલાક પ્રાણે પાસકે કહે છે, ક્ષણિકવિજ્ઞાન આત્મા છે એમ યોગાચાર કહે છે, શુન્ય આત્મા છે એમ માધ્યમિક કહે છે, શરીર તથા ઇથિી ભિન્ન શરીરજેવડો આત્મા છે એમ જૈને કહે છે, કર્તા, કતા, જડ ને વ્યાપક આત્મા છે એમ થશેષિકો, નાયિકે ને પ્રભાકરને માનનારાઓ કહે છે, જડ તથા જ્ઞાનસ્વરૂપ આત્મા છે એમ કુમારિલભટ્ટને અનુસરનારાઓ કહે છે, કર્તા ને કેવલ ચિત્માત્ર આત્મા છે એમ સાંખ્યવાદીઓ તથા ચગીઓ કહે છે,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy