________________
૨૭૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
થી. જ્યારે તેઓ સ્વસ્વરૂપને જાણે ત્યારે જ તેઓ તે ત્રિવિધ તાપમાંથી મોકળા થઈ પરમાનંદાનુભવ કરી શકે. માવીને સ્થાને પરત એવું પાઠાંતર હોય તે તેને અર્થ જે એ થાય છે. ૫. - મનુષ્યને આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ વિરાગવિના થઈ શકતી નથી, માટે હવે વિરાગને મહિમા વર્ણવે છે – सुरमंदिरतरुमूलनिवासः, शय्या भूतलमजिन वासः । सर्वपरिग्रहभोगत्यागः, कस्य सुखं न करोति विरागः ॥ ६ ॥
દેવમંદિરમાં કે વૃક્ષના મૂલમાં રહેવું, ભૂમિ પર શયન કરવું, મૃગચર્મરૂપ વસ્ત્ર, નેિ સર્વ પરિડને ને ભેગને ત્યાગ [આ વિરાગ કોને સુખ કરતો નથી?
શુદ્ધસાત્વિક દેવોનાં એકાંતને પવિત્ર પ્રદેશમાં આવેલાં મંદિરના કઈ એગ્ય ભાગમાં, અથવા કેઈ મોટા ને પવિત્ર વૃક્ષના મૂલની પાસે રાત્રે વા દિવસે વિશ્રાંતિ લેવી, પાટ કે પલંગવિના કેવલ પવિત્ર ભૂમિપર મૃગચર્મ પાથરીને સુવું, મૃગચર્મ, વકલ કે સામાન્ય વસ્ત્ર ધારણ કરવાં, અને દશ્યપદાર્થોમાં રહેલી મમતાને તથા રાગપૂર્વક દશ્ય પદાર્થના ઉપભોગને પરિત્યાગ કરવો આ પ્રાયશઃ મનુષ્યના અંતઃકરણમાં પ્રકટેલા વિરાગનાં પરિણામો છે. આવો વિરાગ દુઃખના હેતુભૂત તૃષ્ણારૂપ અગ્નિને શાંત કરે છે, તે મનુષ્યને નિર્ભય કરે છે, આ વિરાગ ક્યા વિવેકી મનુષ્યને સુખ કરતું નથી ? સવો વિવેકી, મનુષ્યને આ વિરાગ સુખ કરે છે. ૬. : આત્મજ્ઞાનની પ્રાપ્તિ સમભાવવડે થાય છે, માટે હવે ચિત્તના સમભાવનું માહામ્ય જણાવે છે – शत्रो मित्रे पुत्रे बंधौ, मा कुरु यत्नं विग्रहसंधौ । भव समचित्तः सर्वत्र त्वं, वांछस्यचिराद्यदि विगुत्वम् ॥ ७ ॥