SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમહમુદ્ગરસ્તોત્ર. ૨૬૭ આ સ્તોત્રનું અન્યનામ દ્વાદશપંજરિકાસ્તોત્ર પણ કહેવાય છે. મેહ એટલે અવિવેક વા સંસારાસક્તિ તેના ઉપર ઉપદેશરૂપ મુદગર ( મોગર–મોટી બેગરી ) એવો મેહમુગરને અર્થ થાય છે; અને બાર કવડે જેમાં પંજરિકા એટલે કાયાનું ને તેની સાથે સંબંધ રાખનારા અન્ય પદાર્થોનું તુચ્છપણું ને બ્રહ્મનું સર્વોત્તમપણું જણાવવામાં આવ્યું છે એ દ્વાદશપંજારિકાનો અર્થ થાય છે. આ સ્તોત્રના તેરમા કલેકમાં જણાવ્યા પ્રમાણે આ સ્તોત્રમાં વિવેકહીને મંદબુદ્ધિવાળા શિષ્યોને આચાર્યભગવાને દયા લાવીને ઉપદેશ કર્યો છે. આ તેત્રના પહેલા શ્લોકમાં ધનતૃષ્ણવાળા શિષ્યને ધનતૃષ્ણને પરિત્યાગ કરી પ્રારબ્ધવશાત જે મળી આવે તેમાં સંતોષ રાખવાને ઉપદેશ આચાર્યભગવાન્ કરે છે – मूढ जहीहि धनागमतृष्णां, कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् । यल्लभसे निजकीपात्तं, वित्तं तेन विनोदय चित्तम् ॥१॥ | હે મૂઢ! ધનની પ્રાપ્તિની તૃષ્ણા ત્યાગ કર. મનમાં સુબુદ્ધિ અને તૃષ્ણારહિતપણું કર. તારા કર્મવડે જે દ્રવ્ય મેળવે છે તેવડે ચિત્તને આનંદ આપે. હે વિવેકહીન ! તું નાના પ્રકારના લેકિક દ્રવ્યની પ્રાપ્તિની લાંબી લાંબી તૃણને વિવેકવિરાગવડે પરિત્યાગ કર, કેમકે એ તૃષ્ણ બહુ દુઃખ દેનારી છે. તારા મનમાં તું જડની તથા ચેતનની સમજને વા સહૃપ બ્રહ્મને વિષય કરનારી વૃત્તિને ઉત્પન્ન કર, તથા તૃષ્ણરહિતપણુથી ઉપજતા અલોકિક ઉપશમસુખને વિચાર કરી તારા મનમાં ધનની તૃષ્ણનું રહિતપણું ઉપજાવ. તું તારા પૂર્વજન્મનાં કર્મોના વિપાકવડે તથા વર્તમાનજન્મના પુરુષપ્રયત્નવડે દ્રવ્ય કઈ પણ પ્રકારના યોગ્ય ધંધાવડે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યવડે ઉપયોગી સામગ્રી
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy