________________
૨૬૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
મેળવી તું તારા ચિત્તને પ્રસન્ન કર, પણ દ્રવ્યતૃષ્ણના તાપમાં તેને નિરર્થક તપાવ્યા ન કર. સિદ્ધિને સ્થલે તનુષુ એવું પાઠાંતર પણ જોવામાં આવે છે, તેને અર્થ હે સૂક્ષ્મ બુદ્ધિવાળા ! એ થાય છે. ૧. . હવે નીચેના લેકમાં તે લૌકિક દ્રવ્યના અસારપણાને જણાવે છેअर्थमनर्थ भावय नित्यं, नास्ति ततः सुखलेश: सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता नीतिः ॥ २ ॥
દ્રવ્યને નિત્ય અનર્થરૂપ ગણ, તેથી સુખને લેશ નથી, આ સત્ય છે. ધનવાનેને પુત્રથી પણ ભય હોય છે, સર્વત્ર આ લોકપ્રસિદ્ધ ન્યાય છે.]
હે દ્રવ્યમાં પરમપ્રેમ રાખનારા ! આ લોકપ્રસિદ્ધ દ્રવ્ય જીવાત્માનું વાસ્તવિક હિત કરનાર છે, કે અહિત કરનાર છે, તેને તું શાસ્ત્રષ્ટિએ વિચાર કર. શાસ્ત્રદષ્ટિએ વિચારતાં વિવેકીને તે દ્રવ્ય પોતાનું કે અન્યનું વાસ્તવિક હિત કરનારું પ્રતીત થતું નથી, પણ અવિવેકીને ચિતમાં તે દ્રવ્ય અગ્ય વિકારે ઉત્પન્ન કરનારું હોવાથી તે તેનું ને અન્યનું અહિત કરનારું જ છે એમ તે સમજાય છે, માટે તે સુખે ! તું આ દ્રવ્યને તારું હિત કરનારું નહિ, પણ અહિત કરનારું છે, એમ સર્વદા ગણ. આ લોકપ્રસિદ્ધ દ્રવ્યથી પામરે ભલે સુખ કલ્પી લે, પણ તે દ્રવ્યથી મનુષ્યને સત્યસુખને કણ પણ પ્રાપ્ત થતો નથી એમ શાસ્ત્ર ને વિવેકીઓ કહે છે, માટે તેમનું તે કહેવું જ સત્ય છે, પામરને અનુભવાભાસ સત્ય નથી ધનવાનેને ચોરની, દુર્જનોની, રાજાની, દીન જનોની, જલની ને અગ્નિની બીક હોય તે તો સ્વાભાવિક છે, પરંતુ પિતાના આત્મરૂપ ગણાતા ને પ્રિય મનાતા પુત્રથી કોઈને બીક ન હોવી જોઈએ, પણ તેમને તેમનાથી પણ બીક