________________
શ્રીચર્પટપંજરિકાસ્તત્ર.
૨૬૫
તારી સ્ત્રી કોણ? તારો પુત્ર કેણ? આ સંસાર અતિશય વિચિત્ર છે. તું કોને છે ?] કણ [છે? ને ક્યાંથી આવ્યું છે ? હે ભાઈ ! તત્ત્વને મનમાં વિચાર. હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. | તું અજન્મા ને અસંગ આત્મા હોવાથી આ સ્થૂલશરીરવાળી સ્ત્રી નારી સ્ત્રી નથી, પણ તારી તેવી વાસનાથી અધિકાનરૂપ બ્રહ્મના વિવર્તરૂપે તને તેવો આકાર બ્રહ્મમાં પ્રતીત થાય છે. તું પૂર્વોક્ત સ્વભાવવાળો હોવાથી અહિં કોઈ તારે પુત્ર પણ નથી. આ મારો પુત્ર છે એવું જે તને ભાન થાય છે તે તારા સ્વરૂપના ને તેના સ્વરૂપના અજ્ઞાનથી થાય છે. જેને તું પુત્ર કહે છે તે તારી વાસનાનું જ બ્રહ્મમાં પ્રતિબિંબ પ્રતીત થાય છે. આ સંસાર અજ્ઞાનીઓ તેને જેવો જુએ છે તેવો નથી, પણ તે બ્રહ્મરૂપ હેવાથી અત્યંત વિચિત્ર છે. તું કોઈનો પુત્ર, સગાવહાલો કે દાસ નથી, તેમ સ્કૂલશરીરાદિરૂપ પણ તું નથી, પરંતુ તું તો સર્વને દ્રષ્ટા અસંગ આત્મા છે. તું વ્યાપક ને અનાદિ હોવાથી ક્યાંથી અહિં આવ્યો નથી, પણ સર્વદા અહિં જ રહે છે. હે ભાઈ ! તારા ને દશ્ય જગતના વાસ્તવિક સ્વરૂપને તું તારા મનમાં વારંવાર આદરપૂર્વક વિચાર, ને આ ભવસાગરને અનાયાસે પાર પામ. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઇત્યાદિ. ૧પ. सुरतटिनतिरुमूलनिवास:, शय्या भूतलमजिनं वासः । सर्वपरिग्रहभोगत्यागः, कस्य सुखं न करोति विरागः॥भज०॥१६॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं
श्रीचर्पटपंजरिकास्तोत्रं संपूर्णम् ॥११॥ ગંગાના તીરપરના વૃક્ષના મૂલઉપર નિવાસ, પૃથિવી