________________
શ્રીચર્પટપંજરિકાસ્તોત્ર.
૨૬૧
vvvv
છે, આ વ્યાવહારિક સત્ય ધ્યાનમાં રાખી મનુષ્ય આ સંસારમાં વર્તવાનું છે. આ જગતમાં કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી દ્રવ્ય સંપાદન કરવામાં શક્તિમાન હોય છે ત્યાં સુધી તેને આશરે રહેલાં તેનાં સગાંવહાલાં તેના ઉપર પ્રીતિ રાખતાં પ્રતીત થાય છે, પછી જ્યારે તેનું શરીર બહુ વૃદ્ધ થઈ જાય છે, ને તે દ્રવ્ય સંપાદન કરી શકતો નથી, ત્યારે તેના ઘરમાં તેનું કોઈ પણ સગુંવહાલું તેને કઈ પણ પ્રકારની વાત પૂછતું નથી, તો તેની સેવા તે તેઓ ક્યાંથી જ કરે ? તેની પાસે થોડો સમય બેસીને કાંઈ વાતચીત પણ તેની સાથે કરવાને તેઓ શ્રમ લેતા નથી, ને સર્વ પ્રકારે તેનું અપમાન કરે છે. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૯. रथ्याकर्पटविरचितकंथः, पुण्यापुण्यविवर्जितपंथाः । न त्वं नाहं नायं लोकस्तदपि किमर्थ क्रियते शोकः ॥भज०॥१०॥
માર્ગમાંનાં ચિંથરા એવડે [તે] કંથા બનાવી છે, પુણ્યપાપથી રહિત [તારો] માગે છે, તું નથી, હું નથી, ને આ લેક નથી, તે પણ કયા પ્રજનમાટે [તારાવડે] શેક કરાય છે ? હે મઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ.
નગર અને ગામના માર્ગમાં પડેલાં ફાટેલ, મેલાં ને જૂનાં ચિંથરાંઓ વડે તેં તારી કંથા બનાવી છે, ઉત્તમ વસ્ત્રોની તને પૃહા નથી. જે આવી ભળે તે ઉપર તું તારો નિર્વાહ ચલાવે છે. જ્યાં સ્થાન મળે ત્યાં તું નિવાસ કરે છે. તું પુણ્ય પાપરહિત બ્રહ્મની અભેદભાવે પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારો હોવાથી પુણ્ય પાપથી રહિત તારો માર્ગ છે. વસ્તુતાએ સ્કૂલશરીરાદિરૂપ તું નથી, સ્થૂલશરીરાદિરૂપ હું નથી, આ પ્રતીત થતું નામરૂપાત્મક જગત પણ નથી, તે પછી કયા પ્રયોજનની સિદ્ધિ માટે તારાવડે શેક કરાય છે? તે કહે. તું સચ્ચિ