________________
૨૬૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને,
રહેતાં કાઇ વૃક્ષની નીચે જે નિવાસ કરે છે, તેપણુ શ્રીસદ્ગુરુના . કારુણ્યની પ્રાપ્તિને તે અંતઃકરણની અંતમુ ખતાને અભાવે પોતાના શરીરને કષ્ટ આપનાર તે અજ્ઞાની મનુષ્યને આ લેાકના વિષયેાની તથા પરલેાકના વિષયાની આશારૂપ પાશ-કાંસા-છેડતા નથી, અથવા તે મનુષ્ય આશારૂપ પાશને છેડી શકતેા નથી.
ઢાશે.
આશાપાશ કપાય નહિ, જવલગી જ્ઞાન ન થાય; તપથી દેહદમન કરે, વા કરે અન્ય ઉપાય. ૧
વિષયતૃષ્ણાના પાને ખાળવામાં એક આત્મસ્વરૂપનું જ્ઞાનજ ઉપયેગી છે, અન્ય કાઇ સાધન સાક્ષાત્ ઉપયાગી નથી. હું બાલકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ ! ઇત્યાદિ. ૮.
यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः । पश्चाजर्जरभूत देहे, वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ भज० ॥ ९ ॥
જ્યાંસુધી ધન મેળવવામાં સમથ [હાય છે,] ત્યાંસુધી પોતાનું કુટુંબ પ્રીતિ રાખનારું [રહે છે,] પછી શરીર અતિવૃદ્ધ થયે ઘરમાં કોઇ પણ વાત પૂછતું નથી. હે મૂઢબુદ્ધિ
વાળા ! ઇત્યાદિ.
આ સંસારમાં મનુષ્યેાના મોટા ભાગ સ્વાર્થી છે. . નિકટન સગાંવહાલાંમાં મોટા ભાગ પણ પ્રાયશઃ સ્વાર્થી હોય છે. આમ હોવાથી મનુષ્યાને મોટા ભાગ પોતાનેા સ્વાર્થ હોય છે ત્યાંસુધી જે મનુષ્યથી ભવિષ્યમાં પેાતાના સ્વાર્થ સિદ્ધ થવાના સંભવ હોય છે, વા વર્તમાનમાં પેાતાના સ્વાર્થ સિદ્ધ થતા હોય છે, તે મનુષ્યના ઉપર પ્રેમ રાખે છે, તે સ્વાર્થ સરી રહ્યા પછી તે તેની ઉપેક્ષા કરે