SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચર્પટપંજરિકાસ્તાત્ર. થઇ જાય છે. જ્યાંસુધી મનુષ્યને પોતાના શરીરના અધિષ્ઠાનરૂપ આત્માનું અને આ દશ્ય જગતના અધિષ્ઠાનરૂપ બ્રહ્મનું જ્ઞાન નથી થતું ત્યાંસુધી આ સંસાર તેને સત્યરૂપે પ્રતીત થાય છે, પણયારે તે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને સંશયવિપર્યયથી રહિત જાણે છે, ત્યારે આગળ સત્યરૂપે જણાતા સંસાર હવે તેને સત્યરૂપે કેમ જાઇ શકે? નજ જણાઇ શકે. હવે તે તે તેને મિથ્યારૂપેજ પ્રતીત થાય. હું બાલકબુદ્ધિવાળા વૃદ્ધભ્રાહ્મણ ! ઇત્યાદિ. છ. अग्रे वह्निः पृष्ठे भानू, रात्रौ चित्रकसमर्पितजानुः । ૨૫૯ करतलभिक्षा तरुतलवासस्तदपि न मुंचत्याशापाशः ॥ भज० ॥८॥ આગળ અગ્નિ [ને] પાછળ સૂર્ય [છે, રાત્રિમાં હડપચી બે ઢીંચણેાની વચ્ચે રાખેલી છે, હાથમાં ભિક્ષા[લે છે, અને] વૃક્ષની નીચે નિવાસ [કરે છે,] તેપણુ આશારૂપ પાશ છેડતા નથી. હે મૂઢબુદ્ધિવાળા ! ઇત્યાદિ. પોતાને તપસ્વી માનનાર અથવા અત્યંતદાન કોઇ મનુષ્યની આગળ ભ્રૂણીમાં અગ્નિ સળગે છે, ઉપર તથા પડખે આચ્છાદન ન હોવાથી સવારે તથા સાંજે જેના ખરડાઉપર સુતા તાપ પડે છે, એટવાના વસ્ત્રને અભાવે શીઆળાની ઋતુમાં બેઠેલી સ્થિતિએ રાત્રે ટાઢ લાગવાથી જેણે પેાતાનું માથું નમાવીને પોતાની હડપચી પેાતાનાં એ ઢીંચણાની વચ્ચે રાખેલી છે, અથવા રાતે ટાઢ લાગવાથી સૂતેલી સ્થિતિમાં પોતાનાં એ ઢીંચણા પોતાની હડપચીની પાસે આણી દીધાં છે, જે પેાતાને વૈરાગ્ય જણાવવામાટે પેાતાની પાસે ભિક્ષાપાત્ર રાખી તેમાં ભિક્ષા લેતા નથી, અથવા દીનતાને લીધે જેની પાસે પાત્ર નથી, તેથી પેાતાના હાથમાં જે આપેલી ભિક્ષા લે છે, તે તેમાંથી ઊભા ઊભે ખાઇ લે છે, અને આશ્રમ, મડ કે ગુામાં નહિ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy