SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જેણે ઊતરાવી નંખાવ્યા છે એવો, પોતાના માથાઉપરના બધા વાલને જેણે ચુંટી કાઢયા છે એવો, પિતાના ધર્મમતને અનુસરીને ભગવા વાવડે ભિન્ન ભિન્ન પ્રકારના ઘણા વેશોને જેણે ધારણ કર્યા છે એ, અને પિતાનું ઉદર ભરવા માટે ઘણો શોક કરનારો મનુષ્ય (તેવા મનુષ્યોને મોટે ભાગ) માત્ર લોકોને દેખાડવાનાં પિતાના આ બધા દંભને જેતે છતો પણ જાણે જેતે નથી એમ વર્તે છે, અને પિતાના દંભને પરિત્યાગ કરી તે પિતાના જીવના કલ્યાણ માટે શુદ્ધભાવથી પરમાત્માનું સ્મરણધ્યાનાદિ કરતાં નથી. બહુ ખેદની વાત છે કે પિતાને ત્યાગી માનનારાઓને મોટો ભાગ પોતપોતાના સંગી દાયને બહાર ડોળ રાખવામાં બહુધા જાગ્રતિ સેવે છે, પણ પરમાત્માનું પરમપ્રેમથી સ્મરણધ્યાન કરવામાં જાગૃતિ સેવત નથી. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૬. वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः । क्षीण वित्ते कः परिवारो, ज्ञाते तत्त्वे कः संसारः ॥मज०॥७॥ વય ગયે કામવિકાર કે? પાછું સૂકાયે તળાવ કોણ? દ્રવ્ય ક્ષીણ થયે પરિવાર કેણ? તત્ત્વને જાણે સંસાર કોણ? હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. સ્થૂલશરીર જ્યારે અતિવૃદ્ધાવસ્થાને પામી સામથ્થહીન થાય ત્યારે શરીરાદિમાં કામવિકારને પ્રબલ વેગ કેવી રીતે રહી શકે ? ન રહી શકે. પરાણે દૂર થયાજે થાય. તળાવમાંનું સર્વ પાણુ સુકાઇ ગયા પછી વાસ્તવિક તળાવ ક્યાં રહ્યું ? એ તો સૂકો ઉંડો ખાડેજ રહ્યા. દ્રવ્ય કોઈ પણ પ્રકારે જતું રહે ત્યારે તે દ્રવ્યહીન મનુષ્યને સત્કાર તેનાં સગાંવહાલાં આગળની પેઠે ન કરે એ ઊઘાડી વાત છે. એવી રીતે કારણ દૂર થવાથી તેને અવલંબીને થનારું કાર્ય પણ દૂર
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy