________________
ર
- આવી રીતે કેટલાક દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા. કેને જ્ય થશે, ને કેને પરાજય થશે એ વાત સાંભળનારાઓના અનુમાનમાં આવી શકી નહિ. અંતે શાસ્ત્રના સૂક્ષ્મ વિયઉપર અત્તર ચાલવા લાગ્યાં, ને શ્રીશંકરે શ્રુતિઓ ને યુક્તિઓથી કર્મમાર્ગના કરતાં જ્ઞાનમાર્ગનું શ્રેષ્ઠ પણું સિદ્ધ કરી મંડનમિશ્રને નિરુતર કર્યા. મંડન મિશ્રના કંઠમાંની પુષ્પમાલા સૂકાઈ ગઈ. સરસ્વતીએ મંડન મિશ્રને પરાજય ને શ્રીશંકરને જય થયેલે જાણી, તથા મંડનમિશ્રને વાણીવડે સંન્યાસી થઈ ગયાનું માની, બંનેને ભિક્ષા માટે પધારવાની વિનંતિ કરી. પછી બંનેએ જઈને ભિક્ષા કરી. - મંડન મિશ્રને નિરુત્તર કર્યા છતાં ઘણા સમયથી માનેલી પૂર્વમીમાંસાની સત્યતા તેમના હૃદયમાંથી દૂર ન થવાથી તેમણે આચાર્ય ભગવાનને કહ્યું --“મારે પરાજય થવાથી મને લેશ પણ ખેદ થતો નથી, પણ શ્રીજીમેનિના મતનું ખંડન થયું, તેથી મને બહુ ખેદ થાય છે. ત્રિકાલદર્શી શ્રીજૈમિનિને અભિપ્રાય અસત્ય ન હો જોઈએ એમ હજી મને પ્રતીત થાય છે. ” આચાર્યભગવાને તેના મનનું સમાધાન કરવા કહ્યું --“હે વિદ્વાન ! શ્રી જૈમિનિને અભિપ્રાય અસત્ય નથી. તેમણે જે કહ્યું છે તે સત્ય કહ્યું છે. તમે તેમને આભપ્રાય સમજી શક્યા નથી ” આવી રીતે કહી પૂર્વમીમાંસાનાં કેટલાંક સૂત્રોને અભિપ્રાય આચાર્યભગવાને તેમને કહી દેખા તોપણ મંડન મિશ્રના મનનું જોઈએ તેવું સમાધાન થયું નહિ, તેથી તેમણે શ્રીજી મનિનું સ્મરણ કર્યું. તે સ્મરણવડે શ્રીજૈમિનિ ત્યાં પ્રકટ થયા. ને તેમણે મંડનમશ્રને કહ્યું –“હે વત્સ ! દુરાગ્રહ રાખવાનું કાંઈ કારણ નથી. શ્રીશંકરે મારાં રચેલાં સૂત્રોનો જે મુખ્ય અભિપ્રાય તમને કહી દેખાડો તેજ મારે અભિપ્રાય છે મારા સદ્દગુરુ વ્યાસભગવાનથી મારો અભિપ્રાય ભિન્ન કેમ હોઈ શકે? નિષ્કામ કર્મવડે