SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણ કરી, સંન્યાસી થઈશ. જયપરાજયને નિર્ણય કરવાનું કામ મારી સ્ત્રી સરસ્વતી કરે એ વાતને મને સ્વીકાર છે.” - ભરતખંડના બે મહાસમર્થ વિદ્વાનોના શાસ્ત્રાર્થને નિર્ણય કરવા જે સ્ત્રીને નીમવામાં આવી તે સ્ત્રીની મતા કેવી હોવી જોઈએ? પછી સરસ્વતીએ મધ્યસ્થ રહી ન્યાય આપવાને સ્વીકાર કર્યો, એટલે શાસ્ત્રાર્થને પ્રારંભ થયે. સરસ્વતીએ પરિણામને વિચાર કરી બંનેના કંઠમાં પુષ્પની મંત્રેલી માળા પહેરાવીને કહ્યું કે મારે ઘરના કામની દેખરેખ રાખવામાં વધારે સમય ગાળવો પડે છે, તેથી હું તમારા બંનેને પૂરો શાસ્ત્રાર્થ સાંભળવા અહિં બેસી શકીશ નહિ. આ પુષ્પની માલા મંત્રીને મેં તમારા કંઠમાં પહેરાવી છે. તેમાંથી જેમના કંઠમાંની પુષ્પમાલા સૂકાય તેમણે પિતાને પરાજય થયો એમ સમજવું.” આમ કહી તે પિતાના ઘરમાં કામકાજની દેખરેખ રાખવા ગયાં મંડનમિએ કર્મમાર્ગનું ખંડન કરવા માંડયું, ને જ્ઞાનમાર્ગનું ખંડન કરવા માંડયું. આચાર્યભગવાન જ્ઞાનમાર્ગનું મંડન ને કર્મમાર્ગનું ગણપણું વર્ણવવા લાગ્યા. પ્રત્યેક દિવસે મધ્યાહ્ન પછી સરસ્વતી મડનમિશ્રને ભેજનમાટે પધારવાની ને શ્રીશંકરને મિક્ષા માટે પધારવાની વિનતિ કરતાં. પૂર્વપક્ષની સ્ત્રીને મધ્યસ્થનું સ્થાન આપવામાં, ને તેને ઘેરજ ભિક્ષા કરવાનો સ્વીકાર કરવામાં, શ્રીશંકરે પિતાના હૃદયનું કેટલું બધુ ઔદાર્ય ને નિર્ભયતા જણાવ્યાં છે તે વાંચનારે વિચારવાનું છે. ભેજન ને ભિક્ષા થઈ ગયા પછી પુનઃ શાસ્ત્રાર્થ ચાલુ થછે. બંને પરસ્પરનું કહેવું ધ્યાનપૂર્વક સાંભળતા હતા, ક્રોધને વશ થતા નહેતા, વિલંબ કે વિચાર કર્યા વિના તુરત યુગ્ય ઉત્તર આપતા હતા, મુંઝાતા નહોતા, ને ભય કે ખેદને વશ થતા નહતા..
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy