SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તારા મુખમાંથી દાંતે તથા દાઢ પડી જવાથી તારું મુખ દાંતવિનાનું તથા દાઢાવિનાનું થઈ જવાથી ડાચાં ભળી ગયેલું કુરૂપ દેખાય છે, તે વૃદ્ધ થવાથી આધારવિના ચાલી શકતા નથી, તેથી હાથમાં લાકડી લઈને તેને ટકાવડે ધીમે ધીમે ચાલે છે, પણ હજી તારા મનમાંથી તું જીવવાની તથા વિષયોની તૃષ્ણરૂપ લાડવાને છેડત નથી: નારા કલ્યાણ માટે આ જીવનતૃષ્ણાને તથા વિષયતૃષ્ણને બાળી નાંખવાની અગત્ય છે, માટે હે બાલકબુદ્ધિવાળા વદ બ્રાહ્મણ ! ઇત્યાદિ. ૩, પુનાઈપ નાં પુના મા, પુનર કનને જ્ઞાનના જુદુ સંવારે વહુ સુતા , વાગરાતે દિ મુer ll મારા આ દુસ્તર ને અપાર સંસારમાં ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું, અને પુનઃ પુનઃ માના ઉદરમાં સૂવું [થાય છે, તેથી] “હે મુરારે! કૃપાવડે મારું રક્ષણ કરે.” હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ. આ ઘણા પ્રયત્નરૂપ દુઃખથી તરી શકાય એવા ને અજ્ઞાનીઓને જેનો સામે કાંઠે જણાતો નથી એવા ભવસાગર છે. તે ભવસાગરમાં પ્રાણીઓને પિતાના કમાનુસાર વારે વારે ઉંચનીચ યોનિઓમાં જન્મવું થાય છે, વારે વારે મરવું થાય છે, અને વારે વારે માતાને મલિન ઉદરમાં સૂવું પડે છે. આમ આ ભવસાગરમાં જવને વારંવાર ભમ્યા કરવું પડે છે, ને તેને ક્યાંઈ પણ શાંતિ કે તેનાથી ઉપજતું વાસ્તવિક સુખ અનુભવાતું નથી. જ્યાં જ્યાં તેની સ્થિતિ થાય છે ત્યાં ત્યાં તેને બહુ વિધ દુઃખના કડવા અનુભવેજ કરવા પડે છે, તેથી “હે મુરદાનવના શત્રો ! આપના પરમાણિકબિરુદનું સ્મરણ કરી દયારે મારું રક્ષણ કરે,” એમ તે જીવે પરમાત્માની સ્તુતિ કરે છે. તે બાલ દિવાળ વૃદ્ધ બ્રાહ્મણ ! ઈત્યાદિ. ૪.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy