________________
શ્રીચટિપંજરિકાસ્તોત્ર.
૨૫૫
રની રમતમાં પ્રીતિવાળું હોવાથી તે પિતાને ઘણોખરે સમય રમતમાં વ્યતીત કરે છે, પણ પરમાત્માનું ધ્યાન કરતો નથી. બાલ્યાવસ્થા વીતી ગયા પછી તેને જુવાનીની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયેલી યુવાવસ્થામાં તે પોતાની જુવાન સ્ત્રીમાં ઘાટા પ્રેમવાળે થાય છે. તેને લાડ લડાવવામાં ને તેનું ભરણપોષણ કરવામાં તે પિતાને સમય વ્યતીત કરે છે, પણ પરમાત્માનું સ્મરણધ્યાન કરવામાં તે પિતાનું મન લગાડતો નથી. આવી રીતે જુવાનીને સમય વીતી જતાં મનુષ્યને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પિતાના શરીરની શિથિલતાથી, થયેલા ઉધરસાદિ રોગથી, ને છોકરાઓની તથા પિતાની આજીવિકા ચલાવવાના વિચારથી સર્વદા ચિંતામાં ડુબેલો રહે છે, પણ પ્રભુનું સ્મરણધ્યાન કે તેમના સ્વરૂપને વિચાર પ્રાયશઃ કઈ પણ મનુષ્ય કરતા નથી. આમ મનુષ્યની ત્રણે અવસ્થા નિરર્થક ચાલી જાય છે. માટે હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ ! ઈત્યાદિ પ્રથમ કના વ્યાખાનપ્રમાણે સમજવું. ૨. अंगं गलितं पलितं मुंडं,दशनविहाँनं जातं तुंडम् । वृद्धो याति गृहित्वा दंडं, तदपि न मुंचत्याशापिंडम् ॥भज०॥३॥
શરીર ગળી ગયું, માથું પળીવાળું થયું, મુખ દાંતરહિત થયું, વૃદ્ધ થયા ત્યારે લાકડી લઈને ચાલે છે, તે પણ આશાના પિંડને છોડી દેતે નથી, માટે) હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ.
વૃદ્ધાવસ્થાને લીધે તારું શરીર લેહી તથા માંસ ઘટવાથી ગળીને હાડપિંજરરૂપ થઈ ગયું છે, તારું માથું ધોળા વાલવાળું થઇ ગયું છે, તેમાં એક પણ કાળે વાલ હવે જોવામાં આવતું નથી,