________________
૨૫૦
શ્રીશંકરાચાર્યનાં અકાદશ રત્નો.
આ બહુ કથનવડે [ પ્રજન છે? ] હંજ આ સ્થાવરજંગમ જગત્ [ છું. જેમ] જલબિંદુ, ફીણને તરંગ નિશ્ચય સમુદ્રથી ભિન્ન વસ્તુઓ નથી, [તેમ આ સર્વ મારાથી ભિન્ન નથી. ૧૪પ. शरणं नहि मम जननी न पिता न सुता न सोदरा नान्ये। परमं शरणमिदमेव चरणं मम मूर्ध्नि दैशिकन्यस्तम् ॥ १४६॥
મારી મા [મારું શરણ નથી, મારા પિતા મિારું શરણ નથી, મારા પુત્રો [મારું શરણ નથી, મારા ભાઈઓ [મારું શરણ નથી, ને મારા અન્ય સંબંધીઓ પણ મારું શરણ નથી. મારા મસ્તકઉપર શ્રીસદ્દગુરુનું ધારણ કરેલું આ ચરણકમલજ મારું] પરમ શરણ છે. ૧૪૬. आस्ते दैशिकचरणं निरवधिरास्ते तदीक्षणे करुणा । आस्ते किमपि यदुक्तं किमतःपरमस्ति जन्मसाफल्यम् ॥ १४७ ।।
જેિ મારા સદ્દગુરુશ્રીનું ચરણકમલ [મારા મસ્તક પર છે, તેમના અવલોકનમાં જે મારા ઉપર અનધિ કૃપા છે, અને જે તેમણે જે ઉપદેશેલું છે તે મારા હૃદયમાં છે, તિ] આનાથી વધારે મારા જન્મનું સફલપણું શું છે ? ૧૪૭. हिमकरकरसारसान्द्रा: कांक्षितवरदानकल्पविशेषाः । શ્રી રાલ્લા શિારાપ: રામચંતિ ચિત્તસતાપર્ ! ૪૮
ચંદ્રનાં કિરણના ઘાટા સારરૂપ, [અને] ઈચ્છિત વર આપવાવિષે સમર્થોમાં શ્રેષ્ઠ શ્રી ગુરુનાં ચરણકમલના શીતલ કટાક્ષે [મારો] ચિત્તના સંતાપને દૂર કરે છે. ૧૪૮.