SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. કાંઈ અર્તવ્યરૂપ પણ નથી, કર્તવ્યને અવધિને પામેલા એવા કૃતાર્થ મહાપુરૂને શું જ્ઞાતવ્ય કે કર્તવ્ય હોય ? અજ્ઞાનીઓને કદાચ તેઓમાં જ્ઞાતવ્યને જાણવાની અને કર્તવ્યને કરવાની ઇચ્છા પ્રતીત થાય તે તે તેમણે કરેલો માત્ર આરોપજ છે એમ સમજવું. તેમની દષ્ટિએ તેવી કોઈ ઈચ્છા નથી. ૧૦૧. એવા તત્ત્વજ્ઞાનીઓને બંધમોક્ષાદિ વ્યવહાર પણ નથી એમ निखिलं दृश्यविशेष दृपत्वेन पश्यतां विदुषाम् । वन्धो नापि न मुक्तिन च परमात्मत्वमपि न जीवत्वम् ॥१०२॥ સર્વ દશ્ય પદાર્થોને ચેતન્યસ્વરૂપપણે જોતા જ્ઞાની એને બંધ નથી, મુક્તિ પણ નથી, પરમાત્મસ્વરૂપપણું પણ નથી, અને જીવસ્વરૂપપણું પણ નથી. ૧૦૨. પ્રતિપાદન કરેલું બ્રહ્મ અને આત્માના એકપણાનું જ્ઞાન અને ઉપનિષદના પ્રમાણભૂત તાત્પર્યરૂપ છે એમ કહે છે – असकृदनुचिन्तितानामव्याहततरनिजोपदेशानाम् । प्रामाण्यं परसीम्नां निगमनमिदमेव निखिलनिगमानाम् ॥१०३॥ પુનઃ પુનઃ વિચારેલા, જેમને ઉપદેશોને કોઈ પણ સ્થલે લેશ પણ ] વ્યાઘાત થતો નથી એવા, ને સર્વ પ્રમાણોના ] અવધિભૂત સ ઉપનિષદ્ ભાગેનું પ્રમાણપણું [અને] નિગમન (સાધ્યની સમાપ્તિરૂપ સર્વ વેદાંતને સિદ્ધાંત) (આ આત્માનું એકપણું) જ છે.] ૧૦૩. હવે બાકી રહેલા ગ્રંથ વડે બ્રહ્મનિષ્ઠ સદ્ગએ બ્રહ્મપણાને પમાડેલ શિષ્ય પિતાના શ્રી ગુરુનાં ચરણકમલમાં ઘણુમ કરીને
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy