SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હું એવી બુદ્ધિ અને આ એવી બુદ્ધિ આત્મામાં કલ્પિત હેવાથી હું એવી બુદ્ધિને અર્થ આત્મા જ છે એમ કહે છે. – तस्मादशषसाक्षी परमात्मैवाहमर्थ इत्युचितम् । अजडवदेव जडोऽयं सत्संबन्धाद्भवत्यहङ्कार: ॥ ८७ ॥ તેથી સર્વના સાક્ષી પરમાત્માજ ને અર્થ છે એમ ઉચિત છે.) આ જડ અહંકાર સતના સંબંધથી ચેતનના જેજ જણાય છે. જેથી અહંકારાદિ આભામાં કલ્પિત છે, તેથી આ સમગ્ર જગતના સાક્ષી પરમાત્માજ હું એવી વૃત્તિને અર્થ છે, એમ સંભવે છે. આ જડ અહંકાર રૂપ ચેતનના સંબંધથી ચેતન જેવોજ પ્રતીત થાય છે. ૮૭. હવે હું એવા જ્ઞાનને વિષય આત્મા છે, અન્ય નથી, એમ કહે છે – तस्मात् सर्वशरीरेप्वहमहमित्येव भासते स्पष्टः । य: प्रत्ययो विशुद्धस्तस्य ब्रह्मैव भवति मुख्यार्थः ॥ ८८ ॥ તેથી સર્વ શરીરમાં હું હું એવું જે સ્પષ્ટ ને વિશુદ્ધ જ્ઞાન જણાય છે તેને મુખ્ય અર્થ બ્રહ્મજ થાય છે. ઉપર કહેલ કારણથી સર્વ શરીરમાં “ હું ” “હું” એવી રીતનું જે પ્રકટ અને ઉપાધિરહિત જ્ઞાન પ્રતીત થાય છે તે હું એવા જ્ઞાનને બ્રહ્મજ મુખ્ય અર્થ થાય છે, તેને તે શું અર્થ થતું નથી.૮૮. બ્રહ્મજ અહંકારને મુખ્ય અર્થ છે એમ કહ્યું તેને દષ્ટાંત સિદ્ધ કરે છે – गोशब्दादिव गोत्वं तदपि व्यक्ति: प्रतीयतेऽर्थतया । अहमर्थः परमात्मा तद्वद्भान्त्या भवत्यहङ्कार: ॥ ८९ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy