________________
૨૨૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
વડે પૂજારૂપ કાર્યની ઉત્પત્તિ થતી નથી તેમ અસતમાંથી આ જગતને ઉત્પત્તિ ન થાય એ યુકિતવડે, તે આ અસતકારણવાદ સંભવી શકો નથી, તેથી સસ્વરૂપ બ્રહ્મજ આ સર્વ જગતની ઉત્પત્તિમાં કારણ છે...
જગત નું કારણ સપ બ્રહ્મ છે એમ કહેવાથી અતની હાનિ થશે એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે –
जगदाकारतयापि प्रथते गुरुशिष्यविग्रहतयापि । ब्रह्माद्याकारतयापि प्रतीभातीदं परात्परं तत्वम् ॥ ८० ॥
આ પરથી પર તત્વ જગદાકારપણુવડે, ગુરુશિષ્યના શરીરપણા વડે, અને બ્રહ્માદિના આકારપણાવ, પ્રસિદ્ધિને પામે છે.
માયાથી સૂક્ષ્મ અને વ્યાપક એવું બ્રહ્મતત્ત્વજ નામરૂપાત્મક જગદાકારપણુવડે, ગુરુશિષ્યના શરીરરૂપે, અને હિરણ્યગર્ભાદિ દેવતારૂપે વિવર્તરૂપે પ્રતીત થાય છે. સત્ય બ્રહ્મમાં જગત, ગુરુશિષ્ય, અને બ્રહ્માદિ દેવો અધ્યાસરૂપે પ્રતીત થતા હોવાથી દૈતની પ્રાપ્તિ થતી નથી, પણ અતજ સુસ્થિર રહે છે. ૮૦.
કેટલાક અવિવેકીઓ બ્રહ્મથી ભિન્ન જગત સત્ય છે એમ માને છે, તેમનું તે માનવું જન્મમરણની પરંપરાને માટે થાય છે એમ કહે છે -
सत्यं जगदिति भानं संसृतये स्यादपकचित्तानाम् । तस्मादसत्यमेतन्निखिलं प्रतिपादयन्ति निगमान्ताः ॥८१ ॥
જગત્ સત્ય છે આ જ્ઞાન અપકવ ચિત્તવાળાઓને સંસારને માટે થાય છે, તેથી આ સર્વ અસત્ય છે એમ ઉપનિષદે પ્રતિપાદન કરે છે.