________________
શ્રીવાત્મનિરૂપણ. .
૨૨૩ છે, કેમકે અસતને કારણુપણું સંભવતું નથી. સદૂપ બીજ વિદ્યમાન હોય તે જ અંકુરને ઉત્પન્ન કરનારી શક્તિ સર્વ કેવડે જોવામાં આવે છે. બીજ ન હોય તો તે શક્તિ જોવામાં આવતી નથી. 199..
પુનઃ પણ અસકારણવાદીને મતનું નિરાકરણ કરે છે– कारणमसदिति कथयन् वध्यापुत्रेण निर्वत्कार्यम् । किंच मृगतृष्णिकाम्भः पीत्वोदन्यां महीयसी शमयेत् ॥ ७८ ॥
કારણ અસત્ છે એમ કહેનાર વંધ્યાપુત્રવડે કાર્ય - ભાવે, અને ઝાંઝવાનું જલ પીઈને મોટી તરષને શમાવે.
આ જગતનું કારણ અસત છે એમ કહેનાર વાદી કારણરૂપ વિધ્યાપુત્રવડે સંતતિની ઉત્પત્તિ આદિરૂપ કાર્યને સિદ્ધ કરે, અને મૃગતૃષ્ણાના જલનું પાન કરીને પિતાની મોટી તૃષાને નિવૃત્ત કરે, તેજ તેમનું તે કહેવું સાચું ગણાય, અન્યથા તે મિથ્યાજ ગણાય. વંધ્યાપુત્ર અને ઝાંઝવાનું પાણી મિથ્યા હોવાથી તેના કાર્યને અભાવ છે આ અર્થ સૌને સંમત છે. ૭૮. , અસતકારણવાદ શ્રુતિવડે તથા યુક્તિવડે અસંભવિત છે એમ
यस्मान्न सोऽयमसतो वादः संभवति शास्त्रयुक्तिभ्याम् । तस्मात्मदेव तत्त्वं सर्वेषां कारणं भवति जगताम् ॥ ७९ ॥
જેથી શાસ્ત્રવડે અને યુક્તિવડે તે આ અસવાદ સંભવતા નથી, તેથી સત્યસ્વરૂપ બ્રહ્માજ સર્વ જગતનું કારણ છે.
જેથી “વ સોચેમ માણીત ” (હે પ્રિયદર્શન! ઉત્પત્તિની પૂર્વે આ જ હતું,) આ શ્રુતિવડે, અને જેમ વંધ્યાપુત્રાદિ.