________________
૨૨૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો.
આરેપિત પ્રપંચનું જ્ઞાન થાય છે. ઘટાદિકના કારણરૂપ માટીનું જ્ઞાન થવાથી તેમાં આરેપિત ઘટ અને કમંડલુ આદિ કાર્યોનું જ્ઞાન થાય છે તેમ. ૭૫.
હવે કારણુપણુવડે પ્રતિપાદન કરેલું જે બ્રહ્મ છે તે જ સર્વનું કારણ છે, અન્ય નથી, એમ કહે છે –
तदिदं कारणमेकं विगतविशेषं विशुद्धचिद्रूपम् । तस्मात्सदेकरूपान्मायोपहितादभूदशेषमिदम् ॥ ७६ ॥
તે આ એક, વિશેષરહિત, અત્યંત શુદ્ધ ને ચેતનસ્વરૂપ કારણ છે. તે સત્, એકરૂપને માયારૂપ ઉપાધિવાળાથી આ સમગ્ર ઉપસ્યું છે.
- તે આ એક, સર્વ પ્રકારના ધર્માદિથી અત્યંતરહિત, અત્યંતનિમલ તથા ચૈતન્યરૂપ બ્રહ્મ કાર્યરૂપ સર્વ પ્રપંચનું કારણ છે. તે સપ, એકરૂપ અને માયારૂપ ઉપાધિવાળા બ્રહ્મથી આ અનુભવમાં આવતું સર્વ જગત ઉત્પન્ન થયું છે. પ્રધાન કે પરમાણુમાંથી આ જગત ઉત્પન્ન થયું નથી. ૭૬.
હવે અસતકારણવાદીના મતનું નિરાકરણ કરે છે – कारणमसदिति केचित् कथयन्त्यसतो भवेन्न कारणता । अङ्करजननी शक्तिः सति खलु बोजे समीक्ष्यते सकलैः ॥७॥
કારણ અસત્ છે એમ કેઈ કહે છે. અને કારણપણું નથી. નિશ્ચય બીજ હોવાથી અંકુર ઉપજાવનારી શક્તિ સર્વવડે જેવામાં આવે છે.
અસતમાંથી સતની ઉત્પત્તિ થાય છે એમ માની કારણ અસત છે એમ કેટલાક વાદીઓ કથન કરે છે, પણ તેમનું તે કહેવું અગ્ય