SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૨૧ તે બ્રહ્મરૂપ આ આત્મા જ વધારે સ્પષ્ટ જાણવાનો આરંભ કરે છે - સર્વને સારી રીતે પ્રકાશે છે. ૭૩. ત્યારે કર્તાપણુને જ્ઞાનની શી ગતિ થશે ? એમ શંકા થાય તો તેને સમાધાનમાં કહે છે – कर्तृत्वादिकमतन्मायाशक्त्या प्रतीयते निखिलम् । इति केचिदाहुरेषा भ्रान्तिब्रह्मातिरकतो नान्यत् ॥ ७४ ॥ આ સમગ્ર કર્તાપણાદિક માયાશક્તિવડે પ્રતીત થાય છે એમ કેઈ કહે છે, આ બ્રાંતિ છે, બ્રહ્મથી ભિન્ન બીજું [કાંઈ પણ નથી. આ સમગ્ર કર્તાપણું ઇત્યાદિક માયાના સામર્થ્યવડે આત્મામાં પ્રતીત થાય છે એમ કઈ વાદીઓ કહે છે. તેમની આ કલ્પનારૂપ બ્રાંતિ છે, કેમકે બ્રહ્મથી ભિન્નપણા વડે અન્ય કોઈ પણ નથી. “પમેવદ્વિતીયં વ્ર, નિદ નાનારત વિર ” (એકજ અદ્વિતીય બ્રહ્મ છે. અહિં કાંઈ પણ ભેદ નથી, ) ઇત્યાદિ શ્રુતિઓ પણ અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ નથી, એમ કહે છે. ૭૪. - એવી રીતે અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થાય છે એમ કહે છે – तस्मिन् ब्रह्मणि विदिते विश्वमशेषं भवेदिदं विदितम् । कारणमृदि विदितायां घटकरकाद्या यथावगम्यन्ते ॥ ७५ ॥ તે બ્રહ્મનું જ્ઞાન થવાથી આ સર્વ જગત જ્ઞાત થાય. છે, જેમ કારણરૂપ માટીનું જ્ઞાન થવાથી ઘડા અને કમંડલુ આદિનું જ્ઞાન થાય છે [તેમ.] શ્રુતિએ પ્રતિપાદન કરેલ અદંત બ્રહ્મનું જ્ઞાન થવાથી આ સર્વ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy