SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વાત્મનિરૂપણ. ૨૧૮ હવે અવિદ્યાની નિવૃત્તિમાં જ્ઞાનને બીજા સાહાધ્ય કરનારની અપેક્ષા નથી એમ કહે છે – तस्मान्मोहनिवृत्तौ ज्ञानं न सहायमन्यदर्थयते। यद्वद्वनतरतिमिरप्रकरपारध्वंसने सहस्रांश: ॥ ७० ॥ તેથી મેહની નિવૃત્તિમાં જ્ઞાન અન્ય સાહાટ્ય કરનારની અપેક્ષા કરતું નથી. જેવી રીતે સૂર્ય બહુ ઘાટા અંધારાના સમૂહને દૂર કરવામાં [અન્યની અપેક્ષા કરતે નથી તેમ] જેથી કર્મ તથા ઉપાસનારૂપ સાહાટ્ય કરનારની જ્ઞાનને અપેક્ષા નથી, તેથી અજ્ઞાનની નિવૃત્તિમાં જ્ઞાન અન્ય સાહાટ્ય કરનાર કર્મ તથા ઉપાસનાની અપેક્ષા કરતું નથી. જેમ હજારે કિરણોવાળો સૂર્ય બહુ ઘાટા અંધારાના સમૂહને દૂર કરવામાં અન્ય સાહાટ્ય કરનારની અપેક્ષા કરતા નથી તેમ. ૭૦. - હવે જ્ઞાનશબ્દના અર્થને કહે છે – शानं तदेवममलं साक्षी विश्वस्य भवति परमात्मा । संबध्यते न धर्मः साक्षी तैरेव सच्चिदानन्दः ॥ ७१ ॥ વિશ્વના સાક્ષી પરમાત્મા તેજ નિર્મલજ્ઞાનરૂપ છે.] સચ્ચિદાનંદ સાક્ષી તે ધર્મોવડે સંબંધ પામતું નથી. સર્વ જગતના જ્ઞાતા પરમાત્મા બ્રહ્મસ્વરૂપ છે. તે બ્રહ્મજ નિર્મલજ્ઞાનરૂપ છે. તે જ્ઞાનરૂપ સાક્ષી અવિદ્યાએ કલ્પેલા ધર્મોની સાથે કદીપણ સંબંધ પામતું નથી, ને તેના ધર્મોવાળો થતો નથી, તે તો સર્વદા સચ્ચિદાનંદરૂપે જ રહે છે. ૭૧. જે જ્ઞાનરૂપ આત્મા કલ્પિત ધર્મોની સાથે સંબંધ પામતું નથી,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy