SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવાની ઈચ્છાથી મારું અહિં આવવું થયું છે.” પછી આચાર્ય ભગવાને તેમના દર્શનથી પિતાને બહુ હર્ષ થયાનું પ્રદર્શિત કર્યું. પશ્ચાત વ્યાસભગવાને આચાર્યભગવાને કરેલા ભાષ્યને અગત્યનો ભાગ જોઈ પોતાની પ્રસન્નતા જણાવી, અને બીજું સોળ વર્ષનું આયુર્જ આપી, ભરતખંડમાં અદૈવમતને પ્રસાર કરવાની આજ્ઞા કરી, પિતે અંતર્ધાન થયા. પછી આચાર્યભગવાન પિતાના શિષ્યો સહિત ભટ્ટપાને (કુમારિલભટ્ટને) મળવા ત્યાંથી વિદાય થઈ પ્રયાગ પધાર્યા. ત્યાં ત્રિવેણીમાં સ્નાન કરી ભટ્ટપાદને મળવા પધારતા હતા ત્યાં ભદપાદ ડાગરનાં તિરાંઓ સળગાવી તેમાં બળી મરે છે એવા સમાચાર સાંભળ્યા, તેથી તેમાંથી ઊતાવળે ત્યાં પધાર્યા. ભદપાદને આચાર્યભગવાને પોતાનું શારીરકભાગ્ય બતાવ્યું, ને તેના ઉપર લોકહિતાર્થે તેમણે વાર્તિક કરવું એવી પિતાની ઇચ્છા તેમને પ્રદર્શિત કરી. ભટ્ટપાદે જણાવ્યું કે:-“હવે હું આ શરીરનો ત્યાગ કરવાની તૈયારીમાં છું, તેથી મારાથી તે કાર્ય થવું અશક્ય છે. આપ મારા પ્રસિદ્ધ શિષ્ય મંડનને આ કામ સોંપશે તે તે આ કામ સારી રીતે કરી શકશે. મને આપ તારકમંત્રનો ઉપદેશ કરવાની કૃપા કરો, અને એક મુદ્દત આપ અહિં વિરાજે, તેટલામાં હું મારા આ ક્ષણભંગુર શરીરને ત્યાગ કરી દઉં.” પછી આચાર્યભગવાને તેમને તારક મંત્રને ઉપદેશ કર્યો, અને ભરુપાદે પોતાના સ્થલશરીરનો થોડા સમયમાં પરિત્યાગ કર્યો. મડનમિશ્રને પરાજય કર્યા વિના તેને આ કામમાં જોડી શકાય નહિ, તેથી મંડનમિશ્રને પરાજય કરવા આચાર્યભગવાન માહિષ્મતીનામની નગરી માં એડમિશ્ર રહેતા હતા ત્યાં પવાર્યા. બીજે દિવસે પ્રાતઃકાલનું નિત્યકર્મ કરી મડમિશ્રને ઘેર પધારતા હતા ત્યાં માર્ગમાં Mમિશ્રની દાસીઓ જલ ભરવા જતી હતી તેમને મંડનમિશ્રનું
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy