________________
૨૭
વાણી આદિ ઈદ્રિના અગ્નિ આદિ દે, પુરુષનું મરણ થાય ત્યારે તેની વાણી આદિ ઈદ્રિ પર, આગળની પેઠે ઉપકાર કરતા નથી, તેથી વાણું આદિ ઈદ્રિય અગ્નિ આદિ માં લય પામે છે, એમ તે શ્રુતિમાં ગણપણે કહ્યું છે. પ્રાણ અને ઈદ્રિયવિના એકલે જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જઈ શકે નહિ, તથા ભોગ ભેગવી શકે નહિ, માટે પ્રાણ ને ઇંદ્રિયાસહિત જીવ બીજા શરીરમાં જાય છે. ૫. ઉપક્રમ તથા ઉપસંહારની એકરૂપતા વિચારતાં શ્રદ્ધાશબ્દનો અર્થ જલ કરવો જોઈએ એમ જણાય છે. જે પહેલી આહુતિમાં જલ ન કહ્યું હોય તે પાંચમી આહુતિમાં જલનું પુરુષરૂપ પરિણામ થાય છે એમ કૃતિ કહે નહિ. શ્રદ્ધા એ અંતઃકરણને ધર્મ છે, તેથી તે અંત:કરણમાંથી કાઢીને અગ્નિમાં હામી શકાય નહિ. વળી શ્રદ્ધાનો અર્થ જલ થઈ શકે છે એમ “શ્રદ્ધા વા મru:” એ શ્રુતિથી જણાય છે. ૬. સમભૂવિને નવીન શરીર ઉપજે નહિ, માટે જીવ જલાદ સૂક્ષ્મભૂત હિત નવા શરીરને પામે છે એમ માનવું જોઈએ. ૭. જીવ જલના વધારે ભાગથી વીંટાઈને જાય છે, તેથી એકલા જલનું નામ આપ્યું છે, પણ શરીરના ઉપાદાન કારણરૂપ પાંચ ભૂત છે, 'તેથી બીજા ચાર ભૂતો પણ તેની સાથે હોય છે એમ માનવું જોઈએ. ૮.” - આચાર્યભગવાનના સમાધાનથી તે વૃદ્ધબ્રાહ્મણ સંતોષ પામ્યા. તે વૃદ્ધબ્રાહ્મણ અન્ય કઈ નહિ, પણ વ્યાસભગવાન જ હતા, એમ આચાર્યભગવાનને જણાયું. પછી આચાર્ય ભગવાનની પ્રાર્થનાથી તેમણે પિતાનું મૂલ રૂપ પ્રકટ કર્યું. તેમને આચાર્યભગવાને પ્રણામ કર્ય, ને તેમની સ્તુતિ કરી. પછી પ્રસન્ન થયેલા વ્યાસભગવાને આચાર્યભગવાને આ પ્રમાણે કહ્યું – “હે વિન! તમારા પાંડિત્ય ને વિનયથી મને ઘણે સતેજ થયું છે. તમે મારાં સૂત્રોઉપર ભાષ્ય રચ્યું છે એવું મારા જાણવામાં આવતાં તે ભાષ્ય કેવું થયું છે એ