SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. आरोपितं यदि स्यादद्वैतं वस्त्ववस्तुनि द्वैते । युक्तं नैव तदा स्यात्सत्येऽध्यासो भवत्यसत्यानाम् ॥ ५२॥ અસત્ય દ્વૈતમાં જે અદ્વૈત બ્રહ્મ આરોપિત હોય તે તેિ] યુક્ત નથી જ. સત્યમાં અસત્યને અધ્યાસ થાય છે. જે કલ્પિત વસ્તુરૂપ તમાં અતરૂપ બ્રહ્મ એટલે સત્ય વસ્તુ આરોપિત હોય એમ માનીએ તે તે માનવું અગ્ય પ્રતીત થાય છે. અસત્ય કાંઈ વસ્તુ ન હોવાથી તેમાં સત્યનો અધ્યાસ થઈ શકે નહિ, પણ સત્ય વસ્તુ હોવાથી તેમાં અસત્ય પદાર્થોને આરેપ થર શકે છે. પર. સત્ય તથા અસત્ય બંનેનું આજે પણ સત્યાસત્યથી વિલક્ષણ વસ્તુમાં હશે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે यद्यारोपणमुभयोस्तन्द्यतिरिक्तस्य कस्यचिद्भावः । आरोपणं न शून्ये तस्मादद्वैतसत्यता ग्राह्या ॥ १३ ॥ જો બંનેને આરોપ તે બંનેથી ભિન્ન કે પદાર્થ હિય તે તેમાં થાય, પણ શૂન્યમાં આપ ન થાય. તેથી અદ્વૈતનું સત્યપણું ગ્રહણ કરવાગ્ય [છે.] જે સત્ય અને અસત્ય એ બંનેને અધ્યાસ તેનાથી વિલક્ષણ એટલે સત્યથી વિલક્ષણ તથા અસત્યથી વિલક્ષણ કોઈ પદાર્થ હોય તે તેમાં થઈ શકે, પણ સત્યથી વિલક્ષણ અને અસત્યથી વિલક્ષણ કોઈ પદાર્થ અહિં નથી, તેથી તેમાં તેમને આરેપ થઈ શકે નહિ. બંનેથી વિલક્ષણ શૂન્ય છે તેમાં તેમને આરોપ થશે એમ માનવું ઉચિત નથી, કેમકે શૂન્યરૂપ અભાવમાં કેઈન આરોપ સંભવ નથી, તેથી અર્ધત વસ્તુની સત્યતા અંગીકાર કરવા ગ્ય છે. ૫૩.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy