________________
શ્રીસ્વાનિરૂપણ.
२०८
વેદ પ્રમાણ છે એમ કહ્યું. હવે તેના બે અંશને તથા કાર્યને દેખાડે છે –
अंशद्वयवति निममे साधयति द्वैतमेक एवांशः। अद्वैतमेव वस्तु प्रतिपादयति प्रसिद्धमपरोंऽश: ॥ ५० ॥
બે અંશવાળા વેદમાં એક અંશ દ્વતજ પ્રતિપાદન કરે છે, અને બીજો અંશ પ્રસિદ્ધ અદ્વૈતવસ્તુનેજ પ્રતિપાદન કરે છે.
બે ભાગવાળા વેદમાં પ્રથમ કર્મકાંડ અને ઉપાસનારૂપ ભાગ કતા, કર્મ ને ફલાદિરૂપ ભેદનું પ્રતિપાદન કરે છે, અને બીજે ઉપનિપદભાગ સર્વના અનુભવના વિષયરૂપ સર્વ ભેદથી રહિત બ્રહ્મસ્વરૂપનેજ પ્રતિપાદન કરે છે. ૫૦.
દંત તથા અદ્વૈતને પ્રમાણભૂત વેદ પ્રતિપાદન કરે છે, તેથી કાનું સત્યપણું છે? એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે –
अद्वैतमेव सत्यं तस्मिन् द्वैतं ह्यसत्यमध्यस्तम् ।। रजतमिव शुक्तिकायां मृगतृष्णायामिवोदकस्फुरणम् ॥५१॥ * અદ્વૈતજ સત્ય છે, તેમાં અસત્ય ત આપેલું છે, છીપમાં રૂપાની પેઠે, [અને સૂર્યના કિરણમાં જલના જ્ઞાનની પેઠે.
અતરૂપ બ્રહ્મજ સત્ય છે, તે અદ્વૈતરૂપ બ્રહ્મમાં પ્રપંચરૂપ અસત્ય આરોપિત છે, જેમ પ્રકાશમાં સંમુખ દૂર પડેલી છીપમાં રૂપાને આપ થાય છે, અને સૂર્યનાં કિરણોમાં જલનું જ્ઞાન થાય છે, તેમ બ્રહ્મમાં આ પ્રપંચનું જ્ઞાન થાય છે. ૫૧.
તમે કહો છો તેથી ઊલટું એટલે દૈતમાં અને આરોપ કેમ ન હોય? એમ શંકા થાય છે તેના ઉત્તરમાં કહે છે –
૧૪