________________
૨૦૮
શ્રાશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. रूपाणामवलोके, चक्षुरिवान्यन्न कारणं दृष्टम् ।। तद्वददृष्टावगता, वेदवदन्यो न वेदको हेतु: ॥ ४८ ॥
જેમ રૂપોના દર્શનમાં ચક્ષુની પેઠે અન્ય કારણ જોયું નથી, તેમ અજ્ઞાતના જ્ઞાનમાં વેદની પેઠે બીજે જ્ઞાનને હેતુ નથી.
રાતાં, પીળાં અને ધળાં ઈત્યાદિ રૂપના જ્ઞાનમાં નેત્રંદ્રિયની પેઠે અન્ય કોઈ ઇન્દ્રિય કારણરૂપે જોવામાં આવતી નથી. ચહ્યુ ઇન્દ્રિયની પેઠે અન્ય પ્રમાણોથી જાણવામાં નહિ આવતા આત્માના જ્ઞાનમાં અને સ્વગ દિમાં વેદના જેવો અન્ય કોઈ જ્ઞાનને હેતુ નથી. અર્થાત વેદવડેજ એમનું જ્ઞાન થાય છે. ૪૮.
જેમ વેનું સ્વતઃપ્રમાણપણું છે, તેમ અન્ય શાસ્ત્રનું સ્વતઃપ્રમાણપણું કેમ નથી? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છેઃનિમેષુ નિશ્ચિતાર્થ, તનુ જાતિ પ્રવરાવતિ | तदिदमनुवादमात्र, प्रामाण्यं तस्य सिद्धयति न किंचित् ॥ ४९ ॥
વેદમાં નકકી કરેલા અને કેઈ શાસ્ત્રામાં પ્રતિપાદન કરે છે, તે આ અનુવાદમાત્ર છે.] તેનું કાંઈ પણ પ્રમાણપણું સિદ્ધ થતું નથી.
વેદમાં નકકી કરેલા અને કેઈ આચાર્ય પિતાના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરે છે. તે આ પ્રતિપાદન કરેલા અર્થને પુન: કહેવારૂપ અનુવાદમાત્ર છે. અનુવાદનું સ્વતઃપ્રમાણપણું ન હોવાથી અન્ય શાસ્ત્રોનું કંઈ પણ પ્રમાણપણું સિદ્ધ થતું નથી. ૪૪.