________________
૨૦૭
શ્રીસ્વાત્મનિરૂપણ. માનં પ્રયત, વર્ષ માને સુમુલત્તા एधोभिरेव दहनं, दग्धुं वाञ्छन्ति ते महात्मानः ॥ ४६ ॥
જેઓ પ્રમાણેન પ્રકાશનારા જ્ઞાનને પ્રમાણ વડે જાણવાને ઈ છે છે તે મહાપુરુષે ઇંધણાઓ વડેજ અગ્નિને બાળવાને ઇરછે છે. - પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણોને પ્રકાશનારા આત્માને જે મંદબુદ્ધિવાળા અજ્ઞાનીઓ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે જાણવાને ઈચ્છે છે તે દોઢ ડાહ્યાઓ અગ્નિના વિષયભૂત ઇંધણા વડેજ અગ્નિને બાળવાની મૂખંભરેલી ઇછા કરે છે. જેમ અન્ય સર્વને પ્રકાશનાર સૂર્યને અન્યના પ્રકાશની અપેક્ષા નથી, તેમ જ્ઞાનરૂપ આત્માને પણ અન્યના પ્રકાશરૂપ પ્રમાણુની અપેક્ષા નથી. ૪૬. .
વેદ ઉત્પત્તિવાળા હોવાથી ઉત્પત્તિરહિત બ્રહ્મને બોધ કેવી રીતે કરી શકે? એમ શંકા થાય તે તેના ઉત્તરમાં કહે છે – ઘડનારાકુથ, દા : રવઘરતિમા
तदभिव्यक्तिमुदीक्ष्य, प्रोक्तोऽसौ सूरिभिः प्रमाणमिति ॥४७॥ - વેદ અનાદિ છે.] આના પ્રકાશક ઈશ્વર સ્વયંપ્રકાશરૂપ છે. તેના પ્રકટપણને જાણીને આ પ્રમાણ છે એમ પંડિતએ કહેલ છે.
ગાદિ વેદો ઉત્પત્તિરહિત છે. આ સ્વતઃસિદ્ધ વેદના પ્રકાશક શ્રી ઈશ્વર છે. જેમ સ્વતઃસિદ્ધ ઘટાદિને પ્રકાશ નારા સૂર્ય છે, તેને અન્ય પ્રકાશકની અગત્ય પડતી નથી, તેમ ઈશ્વર પ્રકાશ સ્વરૂપવાળા છે, તેથી તેમને પણ અન્ય પ્રકાશકની અગત્ય પડતી નથી. વેદનું શ્રી ઈશ્વરવડે પ્રકટપણું છે એમ જાણીને પૂર્વાચાર્યોએ વેદ પ્રમાણ છે એમ કહ્યું છે. ૪૭. ' હવે દષ્ટાંત આપીને આત્માના જ્ઞાનમાં વેદનુંજ પ્રમાણપણું છે, અન્યનું નથી, એમ કહે છે -