________________
૨૦ ૩
શ્રીસ્વાત્મનિરૂપણ. સાક્ષાત કરે છે તેને શોકરહિતપણું એટલે બ્રહ્મપણું પ્રાપ્ત થાય છે, એમ વેદને ઉપનિષદભાગ કહે છે. એવી રીતે મહાવાક્યના અર્થનું જ્ઞાન થવાથી અવિધાની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ૩૮. | વેદનાં વિધિવચનનું પ્રવર્તકપણું છે, પણ વિધિ અને અર્થવાદના વિલક્ષણપણુથી “તાવમતિ ” આદિ વેદવાક્યોનું પ્રવર્તકપણું નથી, એમ શંકા કરે છે -
प्रायः प्रवर्तकत्वं, विधिवचसा लोकवेदयोदृष्टम्। . सिद्धं बोधयतोऽर्थ, कथमेतद्भवति तत्त्वमस्यादेः ॥ ३९ ॥
લેક અને વેદમાં બહુધા વિધિવાનું પ્રવર્તકપણું જોયું છે. સિદ્ધ અર્થને જણાવનાર “તમારે I ” આદિનું આ પ્રિવર્તકપણું કેવી રીતે થાય?
લોકવ્યવહારમાં અને વેદમાં બહુધા વિધિવાનું પ્રવૃત્તિજનકપણું જોયું છે, પણ સિદ્ધ અર્થને એટલે બ્રહ્મસ્વરૂપને જણાવનાર
તરવબવિ ! ' આદિ વાક્યનું આ પ્રવૃત્તિજનકપણે કેવી રીતે સંભવે ? જ સંભવે. તાત્પર્ય એવું છે કે લોકમાં ને વેદમાં લોકોને વિહિતમાં પ્રવૃત્તિ કરાવનારાં તથા નિધિદ્ધથી રોકનારાં વચનો પ્રમાણ રૂપ ગણાય છે, પણ આ રાજા છે ઇત્યાદિ સિદ્ધ અર્થનું બોધન કરનારાં વચન પ્રમાણરૂપ ગણતાં નથી, માટે “તત્વમસિ ” ઈત્યાદિ વાયો પોતાના અર્થમાં પ્રમાણરૂપ નથી. ૩૪.
હવે ઉપર કરેલા આક્ષેપનું ઉત્તર કહે છે – विधिरेव न प्रवृत्ति, जनयत्याभिलषितवस्तुबोधोऽपि । ના મવતિ મૂિિત ધેર પ્રવર્તતે સ્ત્રી છે. તે
વિધિજ પ્રવૃત્તિ, ઉપજાવતો નથી, ઈચ્છિત વસ્તુનું જ્ઞાન પણ [પ્રવૃત્તિ ઉપજાવે છે.] “રાજા છે” “પુત્ર થયે” આ બોધવડે પણ લેક પ્રવૃત્તિ કરે છે.