________________
શ્રીસ્વાત્મનિરૂપણ. जहदजहदिति सा स्याद्या वाच्यार्थोकदशमपहाय । बोधयति चैकदेश, सोऽयं द्विज इतिवदाश्रयेदेनाम् ॥ ३५ ॥
જે વાચ્યાર્થના એકદેશને ત્યજીને એક દેશને જણાવે છે તે જહદજહત્ લક્ષણ છે. તે દ્વિજ એ પ્રમાણે, એને આશ્રય કરે.
જે વાગ્યાથના વિરોધી ભાગરૂપ એકદેશને ત્યાગ કરીને અને અવિરોધી ભાગરૂપ એકદેશનું ગ્રહણ કરીને પોતાના અર્થને જણાવે છે તે જહદજહત અથવા ભાગત્યાગલાણું કહેવાય છે. તે આ દિજ છે, આ તેનું ઉદાહરણ છે. તે વાકયમાં તે અને આ એ શબ્દવડે જણાતા વિરોધી દેશકાલાદિને ત્યાગ કરીને વિરોધી એવા દિજના શરીરને ગ્રહણ કરવામાં આવે છે. “તાર ” આ મહાવાકયને અર્થ કરતી વેલા પણ ઈશ્વર અને જીવમાં રહેલા માયા અને અવિદ્યાના વિરોધી ધર્મોને ત્યાગ કરીને ઈશ્વરમાં તથા જીવમાં રહેલા અવિરોધી ચેતનને ગ્રહણ કરવામાં આવે છે. આવી રીતે મહાવાકયને અર્થ કરવામાં જહદજહત લક્ષણા ઉપયોગી હોવાથી મુમુક્ષુ તેનો અર્થ કરવામાં તે લક્ષણનો આશય ગ્રહણ કરે ૫.
હજી તે લક્ષણનું પ્રતિપાદન કરે છે - सोऽयं द्विज इति वाक्यं, त्यक्त्वा परोक्षापरोक्षदेशाद्यम । द्विजमानलझकत्वात्, कथयत्यैक्यं पदार्थयोरुभयो: ॥ ३६ ॥
તે આ દ્વિજ છે) આ વાક્યા પરોક્ષ અને અપરોક્ષને તથા દેશાદિને ત્યજીને બ્રિજમાત્રના લક્ષકપણાથી બંને પદના અને થનું એકપણું કહે છે,
તે આ દિજ છે આ વાક્ય, પક્ષકાલ એટલે તે સમય અને અપરોક્ષકા એટલે આ સમય, તે દેશ અને આ દેશ, અને તે સ્થિતિ