SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ શ્રીસ્વામિનરૂપણ. બ્રહ્મ જ્ઞાન ને અનંતરૂપ લક્ષણને પ્રકટ કરે છે, આથી બ્રહ્મનું અબાધ્યપણું અને સ્વપ્રકોwખું સિદ્ધિ છે. ૨૦. સવ ઉપાધિથી રાહત બ્રહ્મનું જીવપણું ને ઈશ્વરપણું કૃતિઓ શા માટે પ્રતિપાદન કરે છે ? એમ રાંકા થાય તો તેને સમાધાનમાં કહે છે___ सति कोशशक्त्युपाधौ, संभवतस्तस्य जीवतेश्वरते । नोचेत्तयोरभावाद्विगतविश विभाति निजाम् ॥ २१ ॥ કેશ અને માયારૂપ ઉપાધિ વિદ્યમાન હોય ત્યાં સુધી તેનું જીવપણું ને ઈશ્વરપણું સંભવે છે, નહિ તો એ બંનેના અભાવથી વિશેષરહિત નિજસ્વરૂપે પ્રકાશે છે. અન્નમયાદિ પાંચ કેશરા જીવન ઉપાધિ, અને માયા૫ ઈશ્વરને ઉપાધિ જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાંસુધી બ્રહ્મમાં જીવપણું અને ધિરપણું એ ભેદવાળો વ્યવહાર થાય છે. જે અન્નમયાદિ કશો અને માયા એ બે ઉપાધિને ત્યાગ કરીએ તો તે બંને નામોથી અને તેમના ધર્મોથી રહિત તે બંનેનું બ્રહ્મસ્વરૂપજ પ્રકાશે છે. ૨૧. સર્વ ઉપાધિને વિલય થયા પછી કાંઈ પણ બાકી રહેતું નથી એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે सति सकलदृश्यबाधे, न किमप्यस्तीति लोकसिद्धं चेत् । यन्न किमपीति सिद्धं, ब्रह्म तदेवेति वेदतः सिद्धम् ॥ २२॥ | સર્વ દશ્યને બાધ થવાથી કાંઈ પણ નથી એમ લોકમાં સિદ્ધ છે એમ) જે [કહે તે] જે કાંઈ પણ નથી એમ સિદ્ધ [ ] તેજ બ્રહ્મ [છે એમ વેદથી સિદ્ધ છે.] નામરૂપાત્મક સર્વ દશ્ય વસ્તુઓને બાધ કરતાં કાંઈ પણ બાકી ૧૩
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy