SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વામનિરૂપણુ. ૧૯૧ અનુભવરૂપ આત્મા અનુભવને વિષય થતા નથી. આ અર્થ દૃષ્ટાંત આપીને સમજાવે છે: अनुभवति विश्वमात्मा, विश्वेनासौ न चानुभूयेत । न खलु प्रकाश्यतेऽसौ विश्वमशेषं प्रकाशयन् भानुः ॥१७॥ આત્મા સર્વને જાણે છે, પણ આ સવર્ડ અનુભવાતા નથી. સુ સમગ્ર જગતને પ્રકાશે છે, પણ આ [જગડે] પ્રકાશાતા નથી. અનુભવસ્વરૂપવાળેા આત્મા સર્વ પ્રાણિપદાર્થને જાણે છે, પણ સર્વ જગતવડે આ આત્મા અનુભવના વિષય થતા નથી, કેમકે સર્વ જગત્ અવિદ્યાનું કાય છે. એ અને દૃઢ કરવા દૃષ્ટાંત આપે છે. જેમ સૂર્ય સર્વ જગતને પ્રકાશે છે, પણ અપ્રકાશધર્મવાળા સર્વ જ ગતવડે આ તે પ્રકાશી શકાતા નથી. આવી રીતે આત્મા, અનુભવસ્વરૂપ હોવાથી તેને ત્રણે કાલમાં સદ્ભાવ છે એમ જાણવું. ૧૭. હવે જાણવાયાગ્ય બ્રહ્મના સ્વરૂપને કહે છે तदिदं तादृशर्मा दशमेतावत्तावदिति च यन्न भवेत् । ब्रह्म तदित्यवधेयं, नोचेद्विषयो भवेत् परोक्षं च ॥ १८ ॥ તે, આ, તેવું, આવું, આટલું, ને તેટલુ' એમ જે નથી તે પ્રશ્ન છે એમ જાણવું, નહિ તે વિષય પરોક્ષ થાય. જે વસ્તુ પરેાક્ષ નથી, જે વસ્તુ પ્રત્યક્ષ નથી, જે વસ્તુ અનુમાનના વિષયરૂપ નથી, જે વસ્તુ પ્રત્યક્ષપ્રમાણના વિષયરૂપ નથી, જે વસ્તુ આટલા પરિમાણવાળી છે એમ કહેવાતું નથી, અને જે વસ્તુ તેટલા પિરમાણવાળી છે એમ પણ કહેવાતું નથી, તે વસ્તુ બ્રહ્મ છે એમ વિવેકીએ જાણવું. જો એમ ન માનીએ તે સર્વ પ્રમાણને પ્રકાશનારું બ્રહ્મ પ્રમાણના વિષયરૂ૫ થાય, અને પરાક્ષ થાય. ૧૮.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy