________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૧૮૯ તે આનંદમયકોશનામવાળે અહંકાર કેવી રીતે આત્મા હોઈ શકે ? તે અહંકાર કોઈ પણ પ્રકારે આત્મા કહેવાય નહિ, કેમકે આત્મા તે તે અહંકારને પણ સાક્ષી છે. એવી રીતે પાંચ કોશો આત્મા નથી. તે માંના કોઈ પણ કોશને જેઓ આત્મા માને છે તેઓ ભ્રાંતિયુક્ત બુદ્ધિવાળા છે એમ જાણવું. આ કોશમાં આનંદનું બહુપણું હોવાથી આને આનંદમય કોશ કહે છે. ૧૩.
હવે આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે - य: स्फुरति बिम्बभूतः, स भवेदानंद एव सकलात्मा । .. प्रागमपि च सत्त्वादविकारित्वादबाध्यमानत्वात् ॥ १४ ॥
પહેલાં અને પછી પણ હેવાથી, અવિકારીપણાથી અને અબાધ્યમનપણથી જે [બે શરીરના] અધિષ્ઠાનપણુવડે પ્રકાશે છે તે આનંદજ સર્વને આત્મા છે. '
અન્નમયાદિકોશોની ઉત્પત્તિની પહેલાં અને તે કોશોના વિનાશની પછી વિધમાનપણથી, સર્વદા વિકારરહિતપણથી, અને બાધના અને 'પણાથી, સ્થૂલસૂક્ષ્મશરીરના અધિષ્ઠાનપણુ વડે જે આનંદ પ્રકાશે છે તે નિરપાધિક આનંદસ્વરૂપ જ સર્વ પ્રાણીઓને આ ભા છે. ૧૪.
જેવી રીતે અન્નમયાદ કેશો અનુભવાય છે તેવી રીતે જે આત્મા હોય તો તે સર્વવડે કેમ અનુભવાત નથી? આથી આ અન્નમયદિ કોશોથી ભિન્ન આત્મા નથી એમ શંકા થાય તે તેના ઉત્તરમાં કહે છે
अन्नमयादेरस्मादपरं यदि नानुभूयते किंचित् । अनुभवितान्नमयादेरस्तीत्यस्मिन्न कश्चिदपलाप: ॥ १५ ॥
જોકે આ અન્નમયાદિથી ભિન્ન કાંઈ અનુભવાતું નથી