SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તે રાગદ્વેષાદિ ધર્મોથી રહિત છે. આ કોશમાં મનનું પ્રધાનપણું હોવાથી આ કેશને મનમય કોશ કહે છે. ૧૧. હવે વિજ્ઞાનમયકોશના અનાત્મપણાને સિદ્ધ કરે છે – सुप्तौ स्वयं विलीना, बोधे व्याप्ता कलेवरं सकलम् । विज्ञानशब्दवाच्या, चित्प्रतिबिम्बा न बुद्धिरप्यात्मा ॥ १२ ॥ [] સુષુપ્તિદશામાં પોતે લય પામેલી [થાય છે, ને જાગ્રતમાં સર્વ શરીરમાં વ્યાપીને [રહે છે, જે] વિજ્ઞાનશબ્દવડે કહેવાય છે, તે ચિતન્યના પ્રતિબિંબવાળી બુદ્ધિ પણ આત્મા નથી. અંતઃકરણની સુપ્તિ અવસ્થામાં જે પોતાના સ્વરૂપથી અનાનમાં વિલીન થાય છે, અને અંતઃકરણની જાગ્રદેવસ્થામાં જે નખથી શિખાપર્યત સર્વ શરીરમાં વ્યાપીને રહે છે, જે વિજ્ઞાન એ શબ્દના અર્થરૂપ ગણાય છે, તે ચૈતન્યના પ્રતિબિંબવાળી ને ઉત્પત્તિનાશવાળી બુદ્ધિ પણ આત્મા નથી, કેમકે આત્મા ઉત્પત્તિનાશથી રહિત છે. આ કોશમાં બુદ્ધિનું પ્રધાનપણું હોવાથી આ કોશનું નામ વિજ્ઞાનમય કોશ કહેવાય છે. ૧૨. હવે આનંદમયકોશનું અનાત્મપણું પ્રતિપાદન કરે છેसुप्तिगतैः सुखलेशैरभिमनुते यः सुखी भवामीति । આનંદરાનામા, સોડëવાર: થે મામા ! ૨૩ સુષુપ્તિમાં રહેલા સુખના લેશેવડે [] સુખી હતા એમ જે જાણે છે તે આનંદમયકોશનામવાળે [છે, તે અહકાર કેવી રીતે આત્મા થાય ? અંતઃકરણની સુષુપ્તિ અવસ્થામાં અનુભવાતા સુખના લેવલે હું આજ સુખથી સૂતો હતો એમ જે જાગ્રત થયા પછી જાણે છે
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy