________________
૧૮૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. પિતે છે આ અર્થમાં ક્યા પુરુષને સંશય છે? જે આમાં સંશય હોય તે જે સંશય કરનાર છે તેજ તું છે,
પિતે છે, અથવા નથી, આ અર્થમાં ક્યા જ્ઞાની અથવા અન્નાનીને સંદેહ છે? પિતાના અસ્તિત્વમાં કોઈ પણ અબ્રાંત મનુષ્યને સંદેહ હોવાનો સંભવ નથી. પિતાના અસ્તિત્વમાં પણ જો કોઈને સંદેહ હોય તો જે સંદેહને કરનાર છે તે જ તું એટલે આત્મા છે. ૪.
હું નથી એવા પ્રકારનો અનુભવ પણ કોઈ અજ્ઞાનીને થાય છે. છતાં તમે હું છું એવોજ અનુભવ બધાને થાય છે, એમ કેમ કહે છે? એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે – नाहमिति वेत्ति योऽसौ, सत्यं ब्रह्मैव वेत्ति नास्तीति । अहमस्तीति विज्ञानन् , ब्रह्मैवासौ स्वयं विजानाति ॥५॥
હું નથી એમ જે જાણે છે તે નથી એમ સત્ય બ્રહ્મનેજ જાણે છે, [અને] હું છું એમ જે જાણે છે તે પિતે બ્રહ્મને જ અનુભવે છે.
જે પુરુષ હું નથી એમ જાણે છે તે પુરૂ નાસ્તિપણાના સાલીપણુવડે ત્રિકાલાબાધ્ય બ્રહ્મરૂપ આત્માને જ જાણે છે, અને તે પુરૂ હું એવા જ્ઞાનને વિષય આત્મા સર્વદા વિધમાન છે એમ અનુભવે છે તે પુરુષ પ્રયાસવિના બ્રહ્મનેજ અનુભવે છે. ૫.
જે હું છું અને હું નથી આવાં બન્ને પ્રકારનાં જ્ઞાનેવિડે બાનજ અનુભવ થતો હોય તો સર્વ મનુબેને તેવું અનુભવ કેમ થતો નથી? એમ શંકા થાય તો તેના ઉત્તરમાં કહે છે:ब्रह्म त्वमेव तस्मान्नाहं ब्रह्मेति मोहमात्रमिदम् ।
મતિ મેર, રા: સર્વે મતિ તણૂજા છે ?