________________
૧૮૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શ્રીસદ્ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણ પહેલા બે લેકવડે કરીને કરે છે – श्रीगुरुचरणद्वंद्वं, वन्देऽहं मथितदुःसहद्वंद्वम् । भ्रांतिग्रहोपशान्ति, पांसुमयं यस्य भसितमातनुते ॥१॥ दैशिकवरं दयालु, वन्देऽहं निहतसकलसंदेहम् । यच्चरणद्वयमद्वयमनुभवमुपदिशति तत्पदस्थार्थम् ॥२॥
શ્રીસદગુરુનાં બે ચરણકમલે જે મુમુક્ષુઓને અસહ્ય એવા દ્વિતને નાશ કરે છે, [ તથા ] જેમની ઘણી રજરૂપ ભસ્મ બ્રાંતિરૂપ ભૂતોને વિનાશ કરે છે, તેમને ] હું માનપૂર્વક નમસ્કાર કરું છું.
તે દયાલુ અને સર્વ સંદેહોની નિવૃત્તિ કરનારા શ્રેષ્ઠ આચાર્યને હું નમું છું જેમનાં બંને ચરણે તત્પદના અર્થરૂપ અદ્વિતીય અનુભવને ઉપદેશ કરે છે.
હરિહરાદિ દેવોને નમસ્કાર નહિ કરતાં આચાર્યભગવાને પિતાના શ્રી ગુરુને નમસ્કાર કરી એમ સૂચવ્યું છે કે મુમુક્ષુએ પિતાના શ્રીસદ્ગરને પરમાત્મબુદ્ધિવડે નમસ્કારાદિ કરવાં જોઇએ. “વથ રેવે पराभक्तिर्यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते મહાત્મનઃ ” ( જેને પરમાત્મામાં ઉત્કૃષ્ટ ભક્તિ છે, અને જેવી પરમાત્મામાં ઉત્કૃષ્ટ ભક્તિ છે તેવી ઉત્કૃષ્ટ ભક્તિ પોતાના સદ્ગરને વિષે પણ છે, એવા ઉત્તમ મુમુક્ષુના ચિત્તમાં અહિં કહેલા અર્થો પ્રતીત થાય છે,) આ વેતાશ્વતરની શ્રુતિ પણ એજ અર્થને કહે છે.
આ અગાધ ભવસાગર તારનારા શ્રીસદ્ગક્નાં બે ચરણારવિંદને હું બહુમાનપૂર્વક પ્રણામ કરું છું. તે બે ચરણારવિંદ મુમુક્ષુઓથી ને સહન કરી શકાય એવી ઇંતભ્રાંતિને નાશ કરે છે, તથા તેમની