________________
શ્રીતત્વબોધ.
' ૧૭૫ થાય છે. આ પંચીકૃત પાંચ મહાભૂતોથી સ્થૂલશરીર ઉપજે છે. એવી રીતે પિંડ તથા બ્રહ્માડનું એકપણું થયું. - પંચીકૃત એટલે સ્થૂલ પાંચ મહાભૂતથી પ્રાણીઓનાં સ્થૂલશરીર તથા બ્રહ્માંડ ઉપજ્યાં છે.
स्थूलशरीराभिमानी जीवनामकं ब्रह्मप्रतिबिंबं भवति । स एव जीव: प्रकृत्या स्वस्मात् ईश्वरं भिन्नत्वेन जानाति । अविद्योपाधिः सन् आत्मा जीव इत्युच्यते ॥
પૂલશરીરમાં હું પણાનું અભિમાન રાખનાર જીવનામનું બ્રહ્મનું પ્રતિબિંબ થાય છે. તે જ જીવ અવિદ્યાવડે ઈશ્વરને પિતાનાથી ભિન્નપણાવડે જાણે છે. અવિદ્યારૂપ ઉપાધિવાળે થવાથી આત્મા જીવ એમ કહેવાય છે.
मायोपाधि: सन् ईश्वर इत्युच्यते । एवमुपाधिभेदात् जीवेश्वरभेददृष्टिावत्पर्यन्तं तिष्ठति तावत्पर्यन्तं जन्ममरणादिरूपः संसारो न निवर्तते तस्मात्कारणान्न जीवेश्वरयोर्भेदबुद्धिः स्वीकार्या॥ | માયારૂપ ઉપાધિવાળ થવાથી ઈશ્વર એમ કહેવાય છે. એમ ઉપાધિના ભેદથી જીવ તથા ઈશ્વરની ભેદદષ્ટિ જ્યાંસુધી રહે છે, ત્યાંસુધી જન્મમરણરૂપ સંસાર નિવૃત્ત થતું નથી, તે કારણથી જીવ તથા ઈશ્વરની ભેદબુદ્ધિ અને ગીકાર કરવા ગ્ય નથી.
એકજ અસંગ ને નિપાધિક ચેતનમાં અવિદ્યા-મલિનસત્વગુણ ૨૫ ઉપાધિને લીધે જીવપણુને અને માયારૂપ-શુદ્ધસત્વગુણરૂપ-ઉપધિને લીધે ઈશ્વરપણાનો આરોપ થયો છે. જ્યાં સુધી ઉપાધિવડે કલ્પાવેલું જીવપણું ને ઈશ્વરપણું મિથ્યા છે, ને તેમના અધિષ્ઠાનરૂપ શુદ્ધચેતન એટલે બ્રહ્મજ સત્ય છે, એમ સ્પષ્ટ સમજાતું નથી, ત્યાં