________________
શ્રીઆત્મબેધ.
૧૫૭
ધર્મોની સાથે સબંધ પામતા નથી. સર્વરૂપ બ્રહ્મને જાણતા છતા પણ લોકેષણથી રહિત હોવાથી મુંગાના જેવા રહે છે. પ્રારબ્ધ પ્રાપ્ત કરેલા વિષયોમાં આસકિતરહિત થઈને વાયુ જેમ સુગંધવાળા સ્થલમાં આસક્તિરહિત થઈને વિચરે છે તેમ તેઓ પૃથિવીઉપર વિચરે છે. પર.
હવે જીવમુક્તને પ્રાપ્ત થનારી વિદેહમુકિતને કહે છે: उपाधिविलयाद्विष्णो, निर्विशेषं विशेन्मुनिः । जले जलं वियद्वयोनि, तेजस्तेजसि वा यथा ॥ ५३ ॥
જેમ જલમાં જલ, આકાશમાં આકાશ, અને તેજમાં તેજ પ્રવેશ કરે છે, તેમ ઉપાધિના વિલયથી વિશેષરહિત થઈને જીવન્મુક્ત બ્રહ્મમાં પ્રવેશ કરે છે. Wજેવી રીતે નદીનું જલ સમુદ્રના જલમાં અભેદભાવે પ્રવેશ કરે છે, અથવા ઘટાદમાં રહેલે આકાશ ઘટાદિ ઉપાધિને ત્યાગ કરીને મહાકાશમાં અભેદભાવે પ્રવેશ કરે છે, અથવા દીપાદિનું વિશેષ તેજ મહાતેજમાં અભેદભાવે પ્રવેશ કરે છે, તેવી રીતે પોતાના પ્રારબ્ધકર્મની સમાપ્તિ થયે જીવન્મુક્તપુw પિતાના દેહાદિરૂ૫ ઉપાધિને નાશ થવાથી નામરૂપદિ વિશેષથી રહિત થઈ પરબ્રહ્મમાં અભેદભાવે પ્રવેશ કરે છે. પ૩.
વિદેહમુક્તિમાં જીવનમુક્તપુ જે બ્રહ્મમાં અભેદભાવે પ્રવેશ કરે છે તે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ નીચેના આઠ કેવડે કરે છે –
यल्लाभान्नापरो लाभो, यत्सुखान्नापरं सुखं । यज्ज्ञानान्नापरं ज्ञानं, तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५४॥
જે લાભથી બીજે લાભ નથી, જે સુખથી બીજું સુખ નથી, જે જ્ઞાનથી બીજું જ્ઞાન નથી, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. બ્રહ્મની પ્રાપ્તિમાં સર્વ લાભનો અંતભવ થવાથી બ્રહ્મના લાભથી