________________
૧૫૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. મેહરૂપી સમુદ્રને તરીને અને રાગદ્વેષાદિ રાક્ષસોને હણને શાંતિથી યુક્ત થયેલા આત્મારામ યેગી શેભે છે.
આ શ્લોકમાં જીવન્મુક્તનું શ્રીરામચંદ્રજીરૂપે વર્ણન કર્યું છે, મહામેહરૂપ સાગરને તરીને, અને રાગદ્વેષાદિપ રાવણાદિ રાક્ષસોને મારીને, શાંતિરૂપ સીતાથી યુક્ત થયેલા આત્માને વિષે આરામ પામેલા ગિરૂપ રામચંદ્રજી સ્વસ્વરૂપમાં શોભે છે. ૫૦.
बाह्यानित्यसुखासक्तिं, हित्वाऽऽत्मसुखनिवृतः । घटस्थदीपवत्स्वस्थः, स्वांतरेव प्रकाशते ॥ ५१ ॥ * બહારનાં અનિત્ય સુખની આસક્તિને ત્યાગ કરીને આત્માના સુખથી આનંદિત થયેલો ને સ્વસ્થ થયેલે પુરુષ પિતાના અંતઃકરણમાં જ પ્રકાશે છે. ઘડામાં રહેલા દીવાની પેઠે.
ચક્ષુરાદિ ઇકિવડે અનુભવાતાં બહારનાં અનિત્ય સુખોની આસક્તિનો વિવેકવડે ત્યાગ કરીને પિતાના આત્મસુખના અનુભવથી આનંદિત થયેલ અને પિતાના સ્વરૂપમાં સ્થિત થયેલ જીવન્મુકત અંતઃકરણમાં પોતાના જ્ઞાનસ્વભાવવડે પ્રકાશે છે. જેમ ઘડામાં રહેલો દીવો પ્રકાશે છે તેમ. ૫૧.
उपाधिस्थोऽपि तद्धर्मन लिप्तो व्योमवन्मुनिः । सर्वविन्मूकवत्तिष्ठेन्नासक्तो वायुवञ्चरेत् ॥ ५२ ॥
ઉપાધિમાં રહ્યા છતા પણ મુનિ આકાશની પેઠે તેના ધર્મ વડે લેખાતા નથી. સર્વજ્ઞ છતાં મુંગાની પેઠે રહે છે, અને આસક્તિ પામતા નથી, ને વાયુની પેઠે વિચરે છે.
(દેહાદિ ઉપાધિમાં સાક્ષીપણુવડે સ્થિત છતા પણ તેના સુખદુઃખાદિ ધર્મોવડે તત્વવેત્તા પુસ્ન સંબંધ પામતા નથી. જેમ આકાશ ધૂળ તથા ધૂમાડા આર્દિની સાથે સંબંધ પામતું નથી, તેમ તેઓ ઉપાધિના