________________
૧૫૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો
( મંદ અંધકારમાં રહેલા ઝાડના ઠુંઠામાં જેમ બ્રતિવડે પુરુષની કલ્પના થાય છે, તેમ અજ્ઞાનવડે બ્રહ્મમાં જીવપણાની કપના થઈ છે. તે જીવના વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થશે સને કર્તાતારૂપ જીવપણું દૂર થઈ જાય છે. ૪પ.
યથાર્થ જ્ઞાનના ઉદયથી અજ્ઞાન દૂર થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે –
तत्त्वस्वरूपानुभवादुत्पन्नं ज्ञानमंजसा । अहंममति चाहानं, बाधते दिग्भ्रमादिवत् ॥ ४६॥ .
દિશ્વમાદિની પેઠે તવસ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલું યથાર્થ જ્ઞાન હું અને મારું આવા અજ્ઞાનને બાધ કરે છે. - જેમ રાત્રિમાં થયેલી દિશાની ભ્રાંતિ સૂર્ય ઉદય થવાથી દૂર થાય છે, અને રજુમાં પ્રતીત થતો સર્પ દીવાના પ્રકાશથી દૂર થાય છે, તેમ બ્રહ્મથી અભિન્ન આત્મસ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલું યથાર્થ જ્ઞાન હું અને મારે આવા અજ્ઞાનને દૂર કરે છે. ૪૬.
હવે નાનીની દૃષ્ટિ કેવી હોય છે તે નીચેના બે લોકવડે કહે છે --
सम्यग्विज्ञानवान् योगी, स्वात्मन्येवाखिल स्थितम् । ઉં વ માત્માનનક્ષતે જ્ઞાનર | ૪૭ |.
યથાર્થ વિજ્ઞાનવાળે યોગી સમગ્રને જ્ઞાનદષ્ટિવડે સ્વાત્મામાં જ રહેલું જુએ છે, અને સર્વને એક આત્મારૂપે જુએ છે.
બ્રહ્મથી આત્માના અભેદજ્ઞાનના યથાર્થ અનુભવવાળ યોગી પિતાની જ્ઞાનદષ્ટિવડે આ સમગ્ર જગતને પિતાના આત્મામાં કલ્પિતરૂપે રહેલું જુએ છે, અને પોતાની જ્ઞાનદષ્ટિવડે આ સર્વ કપિત જગતને પિતાના એક આત્મારૂપે જ જુએ છે. ૪૭,