________________
શ્રીઆત્મòાધ.
૧૫૩
જેમ પ્રાતઃકાલમાં અરુણુના ઉદય થવાથી પ્રથમ અંધકાર દૂર થાય છે, અને પછી સૂર્યના ઉદય થાય છે, તેમ અંતરાત્માથી અભિન્ન બ્રહ્મના જ્ઞાનવર્ડ પ્રથમ અજ્ઞાન દૂર થવાથી નિરાવરણ આત્મા પેાતાની મેળે પ્રકાશે છે. ૪૩.
આત્મા નિત્યપ્રાપ્ત છતાં પણ તેની જ્ઞાનવડે પ્રાપ્તિ સંભવે છે એમ કહે છે:~~
आत्मा तु सततं प्राप्तोऽव्यप्राप्तवदविद्यया । તન્નરો પ્રાપ્તવજ્ઞાતિ, વટામણં ચથા || ૪૪ || આત્મા તે નિત્ય પ્રાપ્ત છે, પણ અવિદ્યાવડે અપ્રાસના જેવા જણાય છે. તેના નાશમાં પ્રાપ્તજેવા પ્રતીત થાય છે, જેમ પેાતાનું કંઠાભરણ તેમ.
જેમ ક્રાઇ મનુષ્યને પેાતાના ગળામાં પહેરેલું ધરણું વિદ્યમાન– પ્રાપ્ત—છતાં પણ ભ્રાંતિથી અપ્રાસના જેવું જણાય છે, અને તે ભ્રાંતિના નાશ થવાથી તે ધરેણું પ્રાપ્ત થયાજેવું જણાય છે, તેમ પેાતાનું સ્વરૂપ હાવાથી આત્મા નિત્ય પ્રાપ્ત છે, પણ અજ્ઞાનવડે તે આળખાતા નથી. તેથી અપ્રાપ્તના જેવા જાય છે. એ અજ્ઞાનના પાતાના પુરુષપ્રયત્નથી અને સદ્ગુરુની કૃપાથી નાશ થયે તે આત્મા પ્રાપ્તના જેવા જાય છે. ૪૪. બ્રહ્મમાં ભ્રાંતિથી કપાયેલુ જીવપણું જીવના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનવડે દૂર થાય છે એમ કહે છે:
स्थाणौ पुरुषवद्भ्रांत्या, कृता ब्रह्मणि जीवता । નવચ્ચે ાવજે રૂપે, તસ્મિન્ત્રષ્ટ નિવર્તતે ॥ ક ॥ હુંઠામાં પુરુષની પેઠે ભ્રાંતિએ બ્રહ્મમાં જીવપણું કર્યું છે, જીવના તે વાસ્તવિક સ્વરૂપના સાક્ષાત્કાર થવાથી તે જીવપણું દૂર થાય છે.