SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શ્રી શંકરાચાર્યનાં અષ્ટદશ રત્નો. રવયંપ્રકાશ આત્મા ત્રિપુટીવિના પોતાની મેળે અનુભવાય છે એમ કહે છે – ज्ञातृशानशेयभेदः, परात्मनि न विद्यते । चिदानंदैकरूपत्वाद्दीप्यते स्वयमेव हि ॥ ४१ ॥ જ્ઞાતા, જ્ઞાન અને સેયને ભેદ પરમાત્મામાં નથી. તેના ચિદાનંદસ્વરૂપપણાથી તે પોતાની મેળેજ અનુભવાય છે. જાણનારે, અંતકરણની વૃત્તિરૂપ જ્ઞાન, અને જાણવાના પદાર્થો એવો ભેદ અંતરાત્માથી અભિન્ન બ્રહ્મમાં નથી, આત્મા ચિદાનંદસ્વરૂપવાળેજ છે, તેથી તે પોતાની મેળે જ જ્ઞાતાદિત્રિપુટીવિના અનુભવાય છે. ૪૧. મામાના ધ્યાનવડે થનારા ફલને કહે છે – एषमात्मारणौ ध्यानमथने सततं कृते । उदितावगतिवाला, सर्वाशानेंधनं दहेत् ॥ ४२ ॥ એવી રીતે આત્મારૂપ અરણમાં ધ્યાનરૂપ મથન નિર. તર કરવાથી ઉદય પામેલી જ્ઞાનરૂપી જ્વાલા સર્વ અજ્ઞાનરૂપી ઇંધણને બાળી નાંખે છે. શ્રુતિમાં કહેલી રીતે આત્મારૂપ અરણમાં અંતકરણની વૃત્તિને એકાગ્ર કરવારૂપ મથન નિરંતર કર્યો કરવાથી ઉદય પામેલા આત્મજ્ઞાન નની જ્વાલા સર્વે અજ્ઞાનરૂપી લાકડાંઓને બાળી નાંખે છે. ૪૨. બોધવડે અજ્ઞાન દૂર થવાથી આત્મા પ્રકાશે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે: अरुणेनेव बोधेन, पूर्व संतमसि हृते । तत आविर्भवेदात्मा, स्वयमेवांशुमानिव ॥ ४३ ॥ - અરુણની પેઠે જ્ઞાનવડે પૂર્વે અજ્ઞાન દૂર થયે સતે પછી સૂર્યની પેઠે આત્મા પોતાની મેળેજ આવિર્ભાવ પામે છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy