________________
(૧૪૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
હના છે. વળી હું શ્રેત્રાદિ ઇંદ્રિયોથી રહિત છું, તેથી મારો શબ્દાદિ વિષયોની સાથે લેશ પણ સંબંધ નથી. આવા વિચારવડે મુમુક્ષુએ યૂલશરીરથી તથા ઇદ્રિથી પિતાના પૃથપણાને નિશ્ચય કર. ૩૧.
મનના ધર્મો પણ આત્મામાં નથી એમ મુમુક્ષુએ વિચારવું જોઈએ એમ નીચેના શ્લોકથી કહે છે –
अमनस्त्वान्न मे दुःखरागद्वेषभयादयः । બાળે રામના: શુક્ર, ફત્યાશ્રુિતિરાણનાત્ II રૂર
પ્રાણરહિત, મનરહિત અને નિર્મલ ઈત્યાદિ શ્રુતિની આજ્ઞાથી મનરહિતપણીવડે દુઃખ, રાગ, દ્વેષ ને ભયાદિ મારા ધર્મો નથી.
“અપ્રાપ શ્રેમના સુત્ર: ( આત્મા પ્રાણરહિત, મનરહિત તયા અવિદ્યાદિ મલવિનાનો છે, ) ઈત્યાદિ શ્રુતિઓની આજ્ઞાથી હું મનરહિત છું, તેથી પ્રતિકૂલજ્ઞાનરૂપ દુઃખ, વિષયમાં પ્રીતિરૂ૫ રાગ, દુઃખ અને દુઃખનાં કારણઉપર ક્રોધરૂપ દેપ, પ્રતિકૂલ પ્રસંગોમાં અંત: કરણના કંપાદિના હેતુરૂપ ભય, ને અનુકૂલ પ્રાણિપદાર્થના વિયોગથી થતી ચિંતા ઈત્યાદિ મનના ધર્મો મારામાં નથી. હું સર્વદા સર્વથા અંતઃકરણના સર્વ ધર્મોથી રહિત છું. ભૂખતરષાદિ પ્રાણના ધર્મો પણ મારામાં નથી. ૩૨. હવે પ્રાણાદિનું અનિત્યપણે તેમની ઉત્પત્તિના કથનવડે દેખાડે છેएतस्माजायते प्राणो, मनः सर्वेद्रियाणि च । खं वायुज्योतिरापश्च, पृथ्वी विश्वस्य धारिणी ॥ ३३ ॥
આ પરમાત્માથી પ્રાણ, મન, સવે ઇંદ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સમગ્રને ધારણ કરનારી પૃથિવી ઉપજે છે.
બ્રહ્મને આશરે રહેલી માયામાંથી ક્રિયાશક્તિવાળો પ્રાણ, જ્ઞાનશ