________________
તેમની સુંદર શબ્દવડે પ્રેમપૂર્વક સ્તુતિ કરી. શ્રીગેવિંદપાદનું ચિત્ત સમાધિમાંથી વ્યુત્થાનદશાને પામ્યું. પછી તેમણે શ્રાશકરને પૂછયું કે –“તમે કોણ છે?” ત્યારે શ્રીશંકરે તેમને ઉત્તર આપ્યું કેહે સ્વામિન ! હું પૃથિવી નથી, જલ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, શબ્દદિ ગુણ નથી, ઈકિયે નર્થ, પ્રાણ નથી, અંતઃકરણ નથી,ને માયા નથી, પણ હું એ સર્વથી પર એક અદિતીય પરમશિવ છું.”
શ્રીગોવિંદપાદ શ્રીશંકરનાં એવાં ઉત્તમ વચને સાંભળી પ્રસન્ન થયા. પછી તેમને તેમનું નામ પૂછતાં શ્રીશંકરે જણાવ્યું કે:-“લેક આ શરીરને શકરના નામથી ઓળખે છે.” પછી શ્રીશંકરે તેમની સમીપ આવી તેમનાં ચરણોનું વિધિપૂર્વક ભાવસહિત પૂજન કર્યું, અને - પરમહંસદીક્ષા આપી બ્રહ્મસ્વરૂપને ઉપદેશ કરવાની પ્રાર્થના કરી. સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત હેવાથી વસ્તુતાએ જેમને સદ્દગુરુના ઉપદેશની કાંઈ પણ અગત્ય નથી એવા શ્રી શંકરને માત્ર પરંપરાને વ્યવહાર સાચવવા શ્રી ગોવિંદપાદે મહાવાક્યને ઉપદેશ કરી શકે ૬૧૯ ફાગણ સુદિ ૨ ને દિવસે પરમહંસદીક્ષા આપી અને સંન્યાસીઓને પાળવાના ધર્મો કહી સંભળાવ્યા.
તેઓશ્રી કેટલેક સમય પિતાના સદ્દગુરુની સેવા કરવા તેઓની સમીપ રહ્યા. પછી પિતાના સદ્દગુરુની આજ્ઞાથી વૈદિકધર્મની પુનઃ સ્થાપના ને વૃદ્ધિ કરવા માટે તેઓશ્રી કાશીમાં પધાર્યા, ને આમાથી અભિન્ન વિશ્વનાથનું સ્મરણચિંતન કરતા છતા કેટલાક સમય ત્યાં વિરાજ્યા.
એક વેલા જેણે વેદાધ્યયન સમાપ્ત કર્યું છે એ એક વિદ્વાન બ્રાહ્મણપુત્ર શ્રીશંકરાચાર્યનાં દર્શન કરવા તેઓશ્રીની પાસે આવ્યો. તે પ્રણિપાત કરી તેઓશ્રીનાં ભવતારક ચરણકમલમાં પડે તેને તેઓશ્રીએ મસ્તક પર હસ્તકમલ મૂકીને ઊઠાડ, અને પૂછયું -“ તું કયાંને રહેવાસી છે ? જ્ઞાતે કેશુ છે ? ને શા માટે અહિં આવ્યો છે ?” તેના
ળ કાયા