________________
૧૩૬
શ્રીકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
કાશજ રહે છે, તેવી રીતે અંતઃકરણુરૂપ ભિન્ન ભિન્ન ઉપાધિમાં રહેલું, વ્યાપક તથા મનસહિત અગીઆર ઇંદ્રિયાનું પ્રેરક બ્રહ્મ ભિન્ન ભિન્ન અંતઃકરણાના ભેદથી ભેદ પામેલાના જેવું જણાય છે, અને તે ઉપાધિઓના બાધ વા નાશ થવાથી શુદ્ધ બ્રહ્મજ રહે છે ૯. ઉપાધિના ભેદથીજ આત્મામાં વર્ષાંશ્રમાદિ ધર્મો કપાય છે એમ કહે છેઃ
नानोपाधिवशादेव, जातिनामाश्रमादयः । आत्मन्यारोपितास्तोये, रसवर्णादिभेदवत् ॥ १० ॥
જલમાં રસ ને રંગાદિના ભેદની પેઠે ભિન્ન ભિન્ન ઉપાધિને લીધેજ વર્ષોં, નામ ને આશ્રમાદિત્મામાં આરેાપેલાં છે.
જેમ જલમાં મધુર રસ અને ધાળા રંગ છે, તથા તે સ્વભાવથી શીતલ છે, પણ તેમાં બીજા ખારા ખાટા પદાર્થો નાંખવાથી, અને રાતાપીળા દયાદ રંગ નાંખવાથી, તથા તેને અગ્નિને સંયાગ કરાવવાથી, તે જલ ભિન્ન ભિન્ન રસવાળું અને ભિન્ન ભિન્ન રંગવાળું તથા ઉષ્ણુ પ્રતીત થાય છે, તેમ ભિન્ન ભિન્ન અંતઃકરણારૂપ ઉપાધિને લીધેજ એક આત્મામાં બ્રાહ્મણાદિ વર્ણો, યજ્ઞદત્તાદિ નામે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમે, તથા ખીજી સ્થિતિએ ભ્રાંતિજ્ઞાનવડે આરે પેલાં છે.૧૦. અવિદ્યાવડે આત્મામાં સ્કૂલ, મ અને કારણ એ ત્રણુ શરીર આરોપાયેલાં છે. તેમાં પ્રથમ સ્થૂલશરીરનું સ્વરૂપ કહે છે:
पंचीकृतमहाभूतसंभवं कर्मसंचितम् । शरीरं सुखदुःखानां भोगायतनमुच्यते ॥ ११ ॥ પંચીકૃતમહાભૂતાથી ઉપજેલું, પ્રારબ્ધકમે રચેલું, ને જીવનાં સુખદુઃખાનું સ્થાન લશરીર કહેવાય છે.