SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અભિન્ન બ્રહ્મના જ્ઞાનના દીર્ઘકાલ આદરપૂર્વક અભ્યાસથી અત્યંતનિર્મલ કરીને બ્રહ્માકાર થયેલી વૃત્તિરૂપ જ્ઞાન પણ અન્ય દશ્યની સાથે બાધ પામી જાય છે. જેમ કેળા જલમાં નાંખેલી નિર્મળીફલની ભૂકી જલમાં રહેલા મેલને નીચે બેસારીને પોતે પણ નીચે બેસી જાય છે, તેમ બ્રહ્માકારવૃત્તિ અન્ય દશ્યનો બાધ કરીને પોતે પણ બાધ પામી જાય છે. ૫. પ્રતીત થતા સંસારને મિથ્યા કહેવો એ પ્રત્યક્ષપ્રમાણથી વિરુદ્ધ છે એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે:-- संसार: स्वप्नतुल्यो हि, रागद्वेषादिसंकुलः । स्वकाले सत्यवद्भाति, प्रः ऽसत्यवद्भवेत् ॥ ६॥ રાગદ્વેષાદિથી ભરપૂર સંસાર સ્વમસમાન જ છે, તે પિતાના સમયમાં સત્યના જે દેખાય છે, ને જ્ઞાનના સમચમાં અસત્યજે થાય છે. રાગદ્વેષાદિ દોષથી ભરેલો આ નામરૂપક્રિયાત્મક સંસાર વિદ્વા નોની દૃષ્ટિએ સ્વનતુલ્હજ છે. તે સંસાર અજ્ઞાનકાલમાં અજ્ઞાનીઓને સાચાના જે પ્રતીત થાય છે, પણ જ્ઞાનકાલમાં જ્ઞાનીઓને અસત્યના જેવો પ્રતીત થાય છે. ૬. આ સંસારનું મિથાપણું બીજા દાંતવડે કહે છે – तावत्सत्यं जगद्भाति, शुक्तिकारजतं यथा । यावन्न झायते ब्रा, सर्वाधिष्ठानमद्वयम् ॥ ७ ॥ જેમ જ્યાંસુધી છીપનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી રૂપે દેખાય છે, તેમ જ્યાં સુધી સર્વના અધિષ્ઠાનરૂપ અદ્વય બ્રહ્મ જાણવામાં આવતું નથી ત્યાં સુધી જગત્ સત્યજેવું જણાય છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy