SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીલંકારાચાયનાં અષ્ટાદશ રસ્તે. ૨૪. અહંકારાદિની અંતર રહેલ અંતરાત્માના અત્યંતધ્યાનવડે પુસ્બાતી પ્રીતિના વિષયરૂપ પ્રાણાદિ ઇંદ્રિયાના ગંધાદિ વિષયામાંથી રાગ દૂર થયે સતે તેમને (તે યાગીને) કદીપણ અજ્ઞાનરૂપી નિદ્રા પ્રાદુર્ભાવ પામતી નથી, અને ભૂતભાતિકરૂપ પ્રપંચ સદાને માટે બાધ પામે છે. विच्छिन्न संकल्पविकल्पमूले, निःशेषनिर्मूलित कर्मजाले । निरन्तराभ्यामिनि नित्यभद्रे, विराजते योगिनि योगनिद्रा ||२५॥ સંકલ્પવિકલ્પનું મૂલ સારી રીતે છેદાઇ ગયે સતે, અને કર્મના સમૂહ નિઃશેષ નિર્મલ થયે સતે નિરંતર અ ભ્યાસવાળા નિત્યકલ્યાણુસ્વરૂપ યોગીમાં યાગનિદ્રા શેલે છે. સંકલ્પ અને વિકલ્પનું મુત્ર જે અજ્ઞાન તે સારી રીતે છેદાઇ ગયે સતે, અને કર્મવડે પડેલા સંરકારેાના સમૂહ બાકી ન રહે એવી રીતે નિર્મૂલ થયે સતે, નિરંતર બ્રહ્માભ્યાસ કરનારા નિત્યકલ્યાણુસ્વરૂપ ચિત્તનિરાધવાળા યેગીમાં ચિત્તનિરાધરૂપ નિદ્રા શેર્ભ છે. ૨૫. विश्रांतिमासाद्य तुरीयतत्त्वे, विश्वाद्यवस्थात्रितयोपरिस्थे । संविन्मयीं कामपि सर्वकालं, निद्रां भजे निर्विषनिर्विकल्पाम् ॥ २६ ॥ વિશ્વાદ્મિની ત્રણ અવસ્થાઓની ઉપર રહેલ, તુરીયતત્ત્વમાં વિશ્રાંતિ પામીને ચૈતન્યરૂપ, વિષયરહિત ને નિર્વિકલ્પ કૈાઇ નિદ્રાને હું સર્વકાલ ભજું છું. વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞનામના અભિમાનીની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએની ઉપર રહેલ તુરીયરૂપ આત્મસ્વરૂપમાં ચિત્તની સ્થિરતાને પ્રાપ્ત કરીને નિરુપાધિક ચેતનરૂપ, વિયેાના સંબંધવિનાની, ને નામરૂપાદિ વિકલ્પેથી રહિત કાષ્ઠ વિલક્ષણ પ્રકારની નિદ્રાને હું સર્વકાલ સેવું છું. ૨૬. प्रकाशमाने परमात्मभानौ, नश्यत्यविद्यातिमिरे समस्ते । अहो बुधा निर्मलदृष्टोऽपि किञ्चिन्न पश्यंति जगत् समग्रम् ॥२७॥ ૧૨૮ >
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy