________________
શ્રીયોગતારાવલીઑત્ર.
૧૨૮
પરમાત્મરૂપી સૂર્ય પ્રકાશમાન્ થયે સતે સમગ્ર અવિદ્યા રૂપ અંધારું નાશ પામે છે. અહો ! નિર્મલ દષ્ટિવાળા જ્ઞાનીઓ સમગ્ર જગત્ વિદ્યમાન છતાં પણ કાંઈ પણ જોતા નથી.
પરમાત્મરૂપી સૂર્યને વૃત્તિમાં ઉદય થયે સતે અવિદ્યા ને અવિઘાનાં કાર્યરૂપ સધળું અંધારું દૂર થઈ જાય છે. અહે ! આશ્ચર્યરૂપ છે કે અજ્ઞાનીની દષ્ટિએ સમગ્ર જગત વિદ્યમાન છતાં પણ અજ્ઞાનરૂપ મલથી રહિત થયેલી દષ્ટિવાળા જ્ઞાનીઓ કોઈ પણ વિષયને સત્યરૂપે જોતા નથી.૨૭,
सिद्धिं तथाविधमनोविलयां समर्था, श्रीशैलशृंगकुहरेषु कदोपलभ्ये। અર્થ થામ સ્ટતા: gવેઇન્તિ, कर्णे यथा विरचयन्ति खगाश्च नीडम् ॥२८॥
મનના વિલયરૂપ તેવી રીતની સમર્થ સિદ્ધિને હું ક્યારે પામીશ? કે જ્યારે શ્રીશૈલના શિખરની ગુફાઓમાં મારા શરીરને અમરલતાઓ સર્વભણીથી વીંટાશે, અને કાનમાં પક્ષીઓ માળા કરશે. - મનને બ્રહ્મમાં વિલય થવારૂપ શ્રેષ્ઠ પ્રતાપવાળી સિદ્ધિને હું કયારે પ્રાપ્ત ન શકીશ? કે જ્યારે શ્રીશૈલ પર્વતના શિખરની ગુફાઓમાં દેહને વિસ્મરણ થવાથી મારા શરીરને વૃક્ષ સમજી અમરલ દિ વેલાઓ તેને સર્વભવી વીંટાશે, અને મારા કાનમાં પક્ષીઓ પિતાને કહેવામાટે માળા બાધાં. છે વસંતતિલકા છે. ૨૮
ब्रह्मरंध्रगते वायौ, गिरेः प्रस्रवणं भवेत् ।
शृणोति श्रवणातीतं, नादं मुक्तिन संशयः ॥ २९ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यावरचिता योगतारावली समाप्ता ॥७॥