________________
૧૨૦
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. વાયુસહિત બ્રહ્મસ્વરૂપમાં એકાગ્ર થઈ અભેદભાવ પામે છે. ૪. जालान्धरोड्डीयनमूलबन्धान , जल्पन्ति कण्ठोदरपायुमूले। बन्धत्रयेऽस्मिन् परिचीयमाने, बन्धः कुतो दारुणकालपाशैः ॥५॥
જાલંધર, ઉડીયાન ને મૂલબંધ કમથી કંઠ, ઉદર ને ગુદાના મૂલમાં છે એમ ગીઓ કહે છે. આ ત્રણ બંધને. સારી રીતે અભ્યાસ થાય તે પછી ભયંકર કાલના પાશેવડે બંધ ક્યાંથી ?
મસ્તકને સારી રીતે નમાવી હડપચીને છાતીના ઉપરના ભાગમાં અડાડી રાખવારૂપ જાલંધરબંધ, નાભીને બરડાની કરોડભણી સારી રીતે ખેંચવારૂપ ઉઠ્ઠીયાનબંધ, અને ગુદાને સારી રીતે સંકેચવારૂપ મૂલબંધ કમથી કંઠમાં, ઉદરમાં ને ગુદાના મૂળમાં છે એમ યોગીઓ કહે છે. આ ત્રણ બંધને સારી રીતે અભ્યાસ કરી ને તેને સિદ્ધ કરે તે પછી જીવને ભયંકર લાગતા કાલના-મૃત્યુનાદેવના–પાશેવડે તે મનુષ્યને બંધન કયાંથી થાય? નજ થાય. ૫. उड्याणजालन्धरमूलबन्धैरुन्निद्रितायामुरगाङ्गनायाम् । प्रत्यङ्मुखत्वात् प्रविशन् सुषुम्नां, गमागमो मुश्चति गन्धवाह: ॥६॥
| ઉડીયાન, જાલંધર ને મૂલબંધવડે કુંડલિનીને જાગ્રતુ કરવાથી અંતર્મુખપણુવડે સુષુણામાં પ્રવેશ કરવાથી વાયુ જવું આવવું ત્યજી દે છે.
ઉપર દર્શાવેલા ઉઠ્ઠીવાન, જાલંધર ને મૂલબંધવડે નાભીની નીચે રહેલા કંદમાં રહેલી કુંડલિનીને જાગ્રત કરવાથી તે કુંડલિની પ્રાણપાનસહિત અંતર્મુખ થઈ સુષણમાં પ્રવેશ કરે છે, તેથી પ્રાણનું નાસિકા દ્વારા બહાર નીકળવું ને અંતર આવવું શાંત થાય છે. ૬. उत्थापिताधारहुताशनाल्कैराकुञ्चनैः शश्वदपानवायौ । संप्रापिते चन्द्रमसः सवन्ती, पीयूषधारां पिबतीह धन्यः ।। ७॥